| controlledby = [[ઊત્તરઉત્તર પ્રદેશ|ઉત્તર પ્રદેશ સરકાર]]
| open_to_public = હા, સાર્વજનિક
| condition = ધ્વસ્ત કિલ્લાના અવશેષો
લીટી ૨૯:
| elevation=૩૭૫}}
'''કલિંજર દૂર્ગ''' નામે ઓળખાતો આ કિલ્લો [[ભારત|ભારતીય રાજ્ય]] [[ઉત્તર પ્રદેશ]]ના બાંદા જિલ્લામાં આવેલો એક પ્રાચીન કિલ્લો છે. બુંદેલખ્ંડબુંદેલખંડ ક્ષેત્રમાં વિંધ્ય પર્વત પર સ્થિત આ કિલ્લો વિશ્વ ધરોહર સ્થળ એટલે કે વર્લ્ડ હેરીટેજ સાઇટ [[ખજુરાહો]]થી માત્ર ૧૭.૭ કિમી દૂર આવેલો છે. તેની ગણના ભારતના સૌથી મોટા અને અપરાજેય ગણાતાં કિલ્લાઓમાં થાય છે. આ કિલલમાંકિલ્લામાં કેટલાએ પ્રાચીન મંદિરો આવેલા છે. અમાંથી ઘણા મંદિરો ઇસુની ત્રીજી કે પાંચમી સદીના ગુપ્ત શાસનકાળ સમયના છે. અહીં આવેલા શિવ મંદિર વિષે એવી માન્યતા છે કે, પૌરાણિકકાળમાં સમુદ્રમંથનના અંતે નીકળેલા કાલકૂટ નામના હળાહળ વિષનું પાન કર્યા બાદ શંકર ભગવાને તેની જ્વાળાઓને શાંત કરવા માટે આ જ સ્થળે તપ કર્યું હતું. કારતક મહીનાંમહીનાની પૂર્ણિમાના દિવસે અહીં મોટો મેળો ભરાય છે જે આ વિસ્તારનો સૌથી મોટો સાંસ્કૃતિક ઉત્સવ છે.
પ્રાચીનકાળમાં આ કિલ્લો જેજાકમુક્તિ જયશક્તિ ચંદેલના સામ્રાજ્યના આધિપત્ય હેઠળ હતો. પછી ૧૦મી સદી સુધી જુદા-જુદા ચંદેલ રાજપૂતો અને પછી રિવાના સોલંકીવંશના રાજપૂતોના આધિપત્ય હેઠળ રહ્યો હતો. આ રાજાઓના શાસનકાળ દરમિયાન કાલિંજર પર મહમદ ગજનવી, કુતુબુદીન એબક, શેર શાહ સૂરી, હુમાયુ વગેરેએવગેરે મુગલ શાસકોએ આક્રમણો કર્યાં હતાં પરંતું આ કિલ્લાને જીતવામાં અસફળ રહ્યાં હતાં. કાલિંજર દૂર્ગને જીતવા માટે ચાલી રહેલી લડાઇ દરમિયાન જ તોપનો ગોળો વાગવાના કારણે શેરશાહનું મોત થયું હતું. મુગલ શાસનકાળમાં બાદશાહ [[અકબર]]એ આ કિલ્લકિલ્લા પર ધિકારઅધિકાર જમાવ્યો હતો અને તેના પછી છત્રસાલ બુંદેલાએ મુગલોના હાથમાંથી બુંદેલખંદનેબુંદેલખંડને આજાદ કરાવ્યો હતો અને ત્યારથી આ કિલ્લો બુંદેલોના આધિપત્ય હેઠલ રહ્યો હતો. પછીથી એ અંગ્રેજોના નિયંત્રણમાં રહ્યો. ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ આ કિલ્લાની ઓળખ દેશના એક અતિ મહત્વપૂર્ણ ઐતિહાસિક ધરોહરના રુપમાં કરવામાં આવે છે. વર્તમાનમાં આ કિલ્લો ભારતીય પૂરાતત્વ સર્વેક્ષણ વિભાગના કબજા હેઠળ છે.