ગાંધી સ્મૃતિ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નવી દિલ્હી, ભારત ખાતે મહાત્મા ગાંધીનું મૃત્યુસ્થળ અને સંગ્રહાલય
Content deleted Content added
પાનાં "Gandhi Smriti" નું ભાષાંતર કરીને બનાવેલ
(કોઇ તફાવત નથી)

૦૭:૫૭, ૨ ઓક્ટોબર ૨૦૨૦ સુધીનાં પુનરાવર્તન

ગાંધી સ્મૃતિ, (પ્રાચીન નામ) બિરલા હાઉસ અથવા બિરલા ભવનમહાત્મા ગાંધીજીને સમર્પિત એક સંગ્રહાલય છે, જે ભારતના નવી દિલ્હીમાં, તીસ જાન્યુઆરી રોડ ( પૂર્વે અલ્બુકાર્ક રોડ) પર આવેલું છે. આ તે સ્થાન છે જ્યાં મહાત્મા ગાંધીએ તેમના જીવનના છેલ્લા ૧૪૪ દિવસો પસાર કર્યા હતા અને જ્યાં ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ ના દિવસે તેમની હત્યા કરવામાં આવી હતી. તે ઈમારત મૂળ ભારતીય ઉધ્યોગપતિ, બિરલા પરિવારનું ઘર હતું. હવે તે ઈટર્નલ ગાંધી મલ્ટિમીડિયા મ્યુઝિયમમાં ફેરવાઈ છે, તેની સ્થાપના ૨૦૦૫ માં કરવામાં આવી હતી. [૧]

ગાંધી સ્મૃતિ (ભૂતપૂર્વ બિરલા હાઉસ), નવી દિલ્હી, ભારત

આ સંગ્રહાલય સોમવાર અને રાષ્ટ્રીય રજાઓ સિવાય દરરોજ ખુલ્લું રહે છે. પ્રવેશ બધા માટે મફત છે. [૨]

ઇતિહાસ

 
ઇટર્નલ ગાંધી મલ્ટિમીડિયા મ્યુઝિયમ, ગાંધી સ્મૃતિ ખાતે એક પ્રદર્શિત કૃતિ
 
ગાંધી સ્મૃતિ પર 'શહીદ સ્તંભ', એ સ્થળ જ્યાં ગાંધીની હત્યા કરવામાં આવી હતી.

૧૨ શયનખંડનું ધરાવતા આ મકાનનું બાંધકામ ઘનશ્યામદાસ બિરલાએ ઈ.સ. ૧૯૨૮ માં કરાવ્યું હતું. [૩] સરદાર પટેલ અને મહાત્મા ગાંધી બિરલાના અવારનવાર મહેમાન બનતા હતા. તેમના અંતિમ રોકાણ દરમિયાન, મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી. તે વખતે ૯ સપ્ટેમ્બર ૧૯૪૭ થી ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ સુધી અહીં રહ્યા હતા. જવાહરલાલ નહેરુએ ઘનશ્યામદાસ બિરલાને પત્ર લખ્યો હતો કે બિરલા હાઉસનો અમુક ભાગ સ્મારકમાં ફેરવાય. [૪] ઘનશ્યામદાસ તેમની સાથે સંકળાયેલ યાદો ને કારણે આ ઘર છોડી દેવામાં અચકાતા હતા. બિરલા હાઉસ, કે.કે. બિરલા પાસેથી ઈ. સ. ૧૯૭૧ માં, ભારત સરકાર દ્વારા, લાંબી અને કડક વાટાઘાટો બાદ ખરીદવામાં આવ્યું હતું. કેટલાક અહેવાલો મુજબ, તેમણે વેચાણના ભાવમાં ફળોના ઝાડની કિંમત પણ શામેલ કરી હતી. આખરે કે. કે. બિરલાએ સરકારને આ મિલકત રૂપિયા ૫૪ લાખ અને સાત એકર શહેરી જમીનન અબદલામાં વેચી, આને ખૂબ જ નફાકારક સોદો માનવામાં આવતો હતો. [૫] બિરલા હાઉસ ૧૫ ઑગસ્ટ ૧૯૭૩ ના રોજ જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું, અને તેનું નામ ગાંધી સ્મૃતિ રાખવામાં આવ્યું. આ ઈમારતના સંગ્રહાલયમાં ગાંધીજીના જીવન અને મૃત્યુ સાથે સંકળાયેલા ઘણી વસ્તુઓ રાખવામાં આવી છે. મુલાકાતીઓ ઈમારત અને મેદાનની મુલાકાત લઈ શકે છે, જ્યાં તેઓ ગાંધીજી જ્યાં રહેતા હતા તે સંરક્ષિત ઓરડો અને રાત્રિના ચાલવા જતા જ્યાં તેમને ગોળી વાગી હતી તે મેદાન પરનું સ્થળ જોઈ શકે છે. ગાંધીજીને તેમની પ્રાર્થના દરમિયાન જે સ્થળે ગોળી મારવામાં આવી હતી ત્યાં શહીદની સ્તંભ બાંધવામાં આવી છે.

શહીદ સ્તંભ તે સ્થાનને દર્શાવે ચિહ્નિત કરે છે જ્યાં "રાષ્ટ્રપિતા" ગાંધીજીની હત્યા કરવામાં આવી હતી.

ગાંધી સ્મૃતિ અથવા બિરલા હાઉસ તીસ જાન્યુઆરી માર્ગ પર આવેલું છે, કે જે નવી દીલ્હીના કેન્દ્રીય વ્યાવસાયિક ક્ષેત્ર કનૉટ પ્લેસથી થોડા કિલોમીટર દૂર છે.

આ ઘરની બહાર એક સ્તંભ છે જેના પર સ્વસ્તિકનું પ્રતીક છે. સમાન આધારસ્તંભમાં ધ્યાન ધ્વનિ માટેનું ઓમ નું પ્રતીક પણ છે.

સંદર્ભ

  1. "The Eternal Gandhi". Sacred World. મેળવેલ 11 November 2018. CS1 maint: discouraged parameter (link)
  2. "Gandhi Smriti and Darshan Samiti Delhi". KahaJaun. મેળવેલ 12 June 2019. CS1 maint: discouraged parameter (link)
  3. "THE VOICE OF THE MAHATAMA, Dr. Pragnya Ram". મૂળ માંથી 7 April 2016 પર સંગ્રહિત. મેળવેલ 2 September 2015. CS1 maint: discouraged parameter (link)
  4. Bhavan's Journal, Volume 32, Issues 13-24 Published 1986, p. 28-29
  5. Tushar A. Gandhi, 'Let's Kill Gandhi!': A CHRONICLE OF HIS LAST DAYS, THE CONSPIRACY, MURDER. INVESTIGATIONS AND TRIAL (New Delhi, Delhi: Rupa & Co, 2007).p 570-71

બાહ્ય કડીઓ

  Birla House સંબંધિત દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો વિકિમીડિયા કૉમન્સ પર