જયા મહેતા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
સાફસફાઈ
 
લીટી ૨૨:
 
== સર્જન ==
જયા મહેતા મુક્ત છંદમાં તર્કવાદી ([[રેશનાલિઝમ|રેશનાલિસ્ટ]]) કવિતા લખે છે. તેમની કવિતા ભાવનાત્મક દુનિયાથી સંલગ્ન થવાને બદલે તાર્કિક અને સામાજિક રીતે જાગૃત છે.<ref name="NatarajanNelson1996">{{Cite book|url=https://books.google.com/books?id=1lTnv6o-d_oC&pg=PA125|title=Handbook of Twentieth-century Literatures of India|last=Nalini Natarajan|last2=Emmanuel Sampath Nelson|publisher=Greenwood Publishing Group|year=1996|isbn=978-0-313-28778-7|page=125}}</ref> ''વેનેશિયન બ્લાઇન્ડ'' (૧૯૭૮), ''એક દિવસ'' (૧૯૮૨), ''આકાશમાં તારાઓ ચૂપ છે'' (૧૯૮૫), ''હોસ્પિટલ પોએમ્સ'' (૧૯૮૭) એ તેમના કાવ્યસંગ્રહો છે. ''રેણુ'' અને ''એક આ ખરે પાંદડુ'' (૧૯૮૯) તેમની નવલકથાઓ છે. <ref name="અ.ગુ.સા.ઇ"/><ref name="જાની ૨૦૧૮"/> ''વેનેશિયન બ્લાઇન્ડ'' અને ''આકાશમાં તારાઓ ચૂપ છે'' કાવ્યસંગ્રહો તેમની "માનવ દુર્દશાની ચિંતા" પ્રતિબિંબિત કરે છે. ''મનોગત'' (૧૯૮૦), ''કાવ્યઝાંખી'' (૧૯૯૮૫), ''અને અનુસંધાન'' (૧૯૮૬), ''બુકશેલ્ફ'' (૧૯૯૧) એ તેમની વિવેચનાત્મક કૃતિઓ છે. ''કવિ પ્રિય કવિતા'' (૧૯૭૬), ''વાર્તા વિશ્વ'' (સહ સંપાદન, ૧૯૮૦), ''સુરેશ દલાલના શ્રેષ્ઠ કાવ્યો'' (૧૯૮૫), ''આપણા શ્રેષ્ઠ નિબંધો'' (૧૯૯૧), ''રઘુપતિ રાઘવ રાજારામ'' (૨૦૦૭) તેમના સંપાદિત પુસ્તકો છે. તેમના સંશોધન કાર્યોમાં ''ગુજરાતી કવિતા અને નાટકમાં હાસ્યવિનોદ,'' ''ગુજરાતના પ્રશસ્તિકાવ્યો'' (૧૯૬૫), ''ગુજરાતી લેખિકાઓએ નવલકથા-વાર્તા સાહિત્યમાં આલેખેલું સ્ત્રીનું ચિત્ર''નો સમાવેશ થાય છે. ''વિમાનથી વ્હીલચેર'' તેમનું પ્રવાસવર્ણન છે.
 
તેમણે અનેક કૃતિઓનું ભાષાંતર કર્યું છે. ''મારા મિત્રો'' (૧૯૬૯), ''આરતી પ્રભુ'' (૧૯૭૮), ''મનનું કારણ'' (૧૯૭૮), ''ચર્ચબેલ'' (૧૯૯૮૦), ''રવિન્દ્રનાથ : ત્રણ વ્યાખ્યાનો,'' ''સૌંદર્યમીમાંસા'' (સહ અનુવાદ), ''ચંપો અને હિમપુષ્પ,'' ''સમુદ્રાલયની પ્રચંડ ગર્જના,'' ''રેવન્યૂ સ્ટેમ્પ'' ([[અમૃતા પ્રિતમ]]ની આત્મકથા, ૧૯૮૩), ''દસ્તાવેજ'' (૧૯૮૫), ''સુવર્ણમુદ્રા અને …'' (૧૯૯૧), ''રાધા, કુંતી, દ્રૌપદી'' (૨૦૦૧), ''વ્યાસમુદ્રા'' એ તેમના અનુવાદો છે.<ref name="અ.ગુ.સા.ઇ"/><ref name="જાની ૨૦૧૮"/> તેમણે અર્નેસ્ટ હેમિંગ્વેની ''ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી''નો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે.