ચરક સંહિતા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૦:
 
[[ત્રિપિટક]]ના [[ચીની ભાષા|ચીની]] અનુવાદમાં કનિષ્કના રાજવૈદ્યના રૂપમાં ચરકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કિંતુ કનિષ્ક બૌદ્ધ હતા અને એમના કવિ [[અશ્વઘોષ]] પણ બૌદ્ધ હતા, પરંતુ ચરક સંહિતામાં બુદ્ધમતનું જોરદાર ખંડન મળે છે. અત: ચરક અને કનિષ્ક વચ્યેનો સંબંધ સંદિગ્ધ જ નહીં અસંભવ હોય એવું લાગે છે. પર્યાપ્ત પ્રમાણોના અભાવમાં કોઇપણ મત પર સ્થિર થવું કઠિન છે.
 
== ચરક સંહિતાનું સંગઠન ==
 
આચાર્ય ચરક આયુર્વેદના પ્રખર વિદ્વાન હતા. એમણે આયુર્વેદના મુખ્ય ગ્રંથો અને આયુર્વેદના જ્ઞાનને એકત્રિત કરીને એનું સંકલન કર્યું. ચરક મુનિએ ભ્રમણ કરીને બધા ચિકિત્સકો સાથે બૈઠકો કરી, વિચાર એકત્ર કર્યા અને સિદ્ધાંતો પ્રતિપાદિત કર્યા અને એને વાંચવા લખવાને યોગ્ય બનાવ્યા. ચરક સંહિતા ગ્રંથને આઠ ભાગોમાં વિભાજિત કરવામાં આવેલ છે અને એમાં કુલ ૧૨૦ અધ્યાય આવેલા છે. ચરક સંહિતામાં આયુર્વેદના બધા જ સિદ્ધાંત છે અને જે આ ગ્રંથમાં નથી તે બીજા કોઇ સાહિત્યમાં નથી. આ ગ્રંથ આયુર્વેદના સિદ્ધાંતોનો કા પૂર્ણ ગ્રંથ ગણાય છે.
 
== બાહ્ય કડીઓ ==