દશરથ મૌર્ય

ચોથો મૌર્ય શાસક

દશરથ મૌર્ય એ મૌર્ય રાજવંશનો એક શાસક હતો. તેનો શાસનકાળ ઈ.સ.પૂ. ૨૩૨–૨૨૪ નો રહ્યો. તે સમ્રાટ અશોકનો પ્રપૌત્ર હતો. દશરથના શાસન દરમિયાન મૌર્ય સામ્રાજ્યનો પ્રભાવ ઘટતો ગયો. તેણે અશોકની સામાજીક અને ધાર્મિક નીતિઓ ચાલુ રાખી. દશરથ અંતિમ મૌર્ય શાસક હતો, જેણે શિલાલેખ લખાવ્યા હતા અને આમ પુરાતત્ત્વિય સ્ત્રોત દ્વારા ઓળખાયેલો તે અંતિમ મૌર્ય શાસક હતો.

દશરથ મૌર્ય
૪થો મૌર્ય શાસક
શાસનઈ.પૂ. ૨૩૨ –૨૨૪
પુરોગામીઅશોક
અનુગામીસંપ્રતિ
જન્મઈ.સ.પૂ. ૨૫૨
મૃત્યુઈ.સ.પૂ. ૨૨૪
નામો
દશરથ મૌર્ય
વંશમૌર્ય
ધર્મબૌદ્ધ

દશરથ મૌર્ય ઈ.સ.પૂ. ૨૨૪માં મૃત્યું પામ્યો તથા તેનો પિતરાઈ સંપ્રતિ તેનો ઉત્તરાધિકારી બન્યો.