વિષ્ણુકુંડિન એક પ્રાચિન ભારતીય રાજવંશ હતો, જેનું વર્તમાન ડેક્કન, ઓરિસ્સા અને તેલંગાણાના પ્રદેશો પર નિયંત્રણ હતું. ૫મી થી ૬ઠ્ઠી શતાબ્દી દરમિયાન તેમણે વાકાટક વંશને હટાવી પ્રદેશો કબ્જે કર્યા હતા. ૫મી થી ૬ઠ્ઠી શતાબ્દી દકમિયાનના ડેક્કનના ઇતિહાસમાં આ વંશ અગત્યનું સ્થાન ધરાવે છે. તેઓની રાજધાની નાલગોંડા, ઈલુરુ અને અમરાવતી હતી. વિષ્ણુકુંડિન એ વિનુકોંડા માટેનો સંસ્કૃત શબ્દ છે. વિષ્ણુકુંડિનોની રાજભાષા સંસ્કૃત હતી.[૧]

સંદર્ભો ફેરફાર કરો

  1. Vasumati, E. "Telugu Literature in the Qutub Shahi Period". Abul Kalam Azad Oriental Research Institute – Google Books વડે.