કામ વિષે


જ્ઞાનીલોકો કહી ગયા છે કે કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે ખરાબ કહેવાય અને આપણા એક લોક-લાડીલા નેતા પણ કહી ગયા છે કે 'આરામ હી રામ હૈ'. એ વાત ગળે ઉતરી ત્યારથી કામ સારૂ ન કહેવાય એવી એક ઉદ્દાત્ત ભાવના મારી અંદર બહુ પ્રબળપણે ઉછરી રહી છે.
ઉપરાંત, બાકી રહ્યુતુ તો કોઇ સંત પણ કહી ગયા કે ...
અજગર કરે ના ચાકરી પંછી કરે ના કામ,
દાસ મલુકા ર્યું કહે સબકા દાતા રામ.

એટલે બંદાએ નક્કી કર્યુ છે કે કોઇ દિવસ કામ ન કરવું