મણિ (નરભેરામ પ્રાણશંકરની પત્ની) એ મણિલાલ પર લખેલ પ્રેમપત્ર

૧-૭-૧૮૮૫

સૌછેલ્લું લખો છો કે 'તને મળવાની ખોટી જીદ છે' એ હું નાકબુલ નથી કરતી. પણ તમે જાણો કે હું થોડા દિવસ મુંબઈ નાશભાગ કરી અલ્પસુખ લીધું ન લીધું ને પાછા મુકામે આવતા રહીશું. જુઓ કે, હું વિષયભોગની તલમાત્ર પણ ભૂખી નથી. એ બાબત મારા મનમાં સ્વાભાવિક તૃષ્ણા જ ઓછી છે. પણ અહિં આવીને તમે પછા જાઓ એટલે મારાથી વિયોગે જીવાય નહિ જો. પછી તો તમારી ર્દષ્ટિ આગળ જ મને રાખો તો જ જીવી શકું. તમે જાણો કે એને ઊકળતી આગે નાંખી પત્રથી શાંત કરૂં એ તો ન સમજશો. તેમ આપણે પાસે રહીએ એવો ઉપાય પણ શો છે ?[૧]

  1. ઠાકર, ધીરુભાઈ, સંપાદક (૨૦૦૧). મ. ન. દ્વિવેદી સાહિત્યશ્રેણી - ૪. ગાંધીનગર: ગુજરાત સાહિત્ય અકાદમી. પૃષ્ઠ 198. ISBN 81-7227-089-5.