સી.એન.આઇ. ચર્ચ, મુગલીસરા

ઇતીહાસ ફેરફાર કરો

ભારતમાં પ્રવેશ કર્યા પછી, અંગ્રેજોએ વેપારની સાથેસાથે મીશનરી કર્યો પણ કર્યા અને તે સાથે તેમણે ધાર્મિક કાર્યો કરવા સુરતના મુગલીસરામાં સન ૧૮૪૦માં સી.એન.આઇ ચર્ચની સ્થાપના કરી. આ ઉપરાંત તેમણે સામાજીક ઉન્નતી હેતુ આઇ.પી. મીશન હાઇસ્કુલની શરુઆત પણ કરી, તેમજ કન્યા કેળવણી માટે આઇ.પી. મીશન ગર્લ્સ હાઇસ્કુલની સ્થાપના કરી. સી.એન.આઇ ચર્ચની પાસે ભારતના પહેલા છાપખાનાની શરુઆત પણ અંગ્રેજોએ કરી હતી.[સંદર્ભ આપો]

સી.એન.આઇ ચર્ચની આંતરીક રચના ફેરફાર કરો

સ્થાપત્યની દ્રષ્ટીએ આ ચર્ચ ઘણુ વૈવિધ્યપુર્ણ છે. તેનુ બાંધકામ લગભગ ૫ ફુટ ઉંચા પાયા પર કરવામાં આવેલું છે. ચર્ચની અંદર મોટાભાગની બેઠક લગભગ તે સમયનીજ છે. તેની બારીઓ લગભગ ૧૫ કુટ ઉંચી હેન્ડ ક્લોઝીંગ શટર વાળી છે.