હરિશ્ચંદ્ર

મહાભારત અને પુરાણોમાં વર્ણવિત સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર જે અયોધ્યાના રાજા હતા અને સત્યવાદી રાજ

હરિશ્ચંદ્ર કે હરિશ્ચન્દ્ર અયોધ્યાના સૂર્યવંશી રાજા હતા જે લોકબોલીમાં સત્યવાદી હરિશ્ચંદ્ર, રાજા હરિશ્ચંદ્ર કે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર તરીકે વધુ પ્રખ્યાત છે. તેઓ નિબંધન રાજાના પૌત્ર હતા અને સત્યવ્રત (ત્રિશંકુ) રાજા અને સત્યવ્રતા રાણીના પૂત્ર હતા. તેમને કુલ ૧૦૦ રાણીઓ હતી જેમાં તારામતી તેમની પટ્ટરાણી હતી. હરિશ્ચંદ્રનું ચરિત અનેક ગ્રંથોમાં વર્ણવેલું છે, જેમકે ઐતરેય બ્રાહ્મણ, માર્કંડેય પુરાણ, દેવી-ભાગવત પુરાણ, બ્રહ્મવૈવર્તક પુરાણ, મહાભારત, વગેરે.

સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર
બજારમાં લિલામ થઈ રહેલા રાજા હરિશ્ચંદ્ર અને તેમનો પરિવાર (રાજા રવિ વર્મા એ દોરેલું ચિત્ર)
અંગત
જીવનસાથીતારામતી અને અન્ય ૯૯ રાણીઓ
બાળકોરોહિત
માતા-પિતા
  • સત્યવ્રત (ત્રિશંકુ) (પિતા)
  • સત્યવ્રતા (માતા)
ફિલસૂફીસત્યવાદી
કારકિર્દી માહિતી
ગુરુવસિષ્ઠ
સન્માનોસત્યવાદી
રાજા
વંશસૂર્યવંશ