અરજણ ભગત (ઇસુની ૧૯ મી સદીનો પૂર્વાર્ધ) રવિ ભાણ સંપ્રદાયના સંતકવિ. તેઓ દાસી જીવણ સાહેબ(ઇ.૧૭પ૦-૧૮રપ)ના શિષ્ય હતા. વતન:જામકંડોરણા પાસેનું ભાદરા ગામ. જાતે રાજપૂત. દીક્ષા ઇ.સ.૧૮૦૯-૧૦ માં દાસી જીવણ સાહેબ પાસેથી લીધી. રવિ ભાણ સંપ્રદાય(રામકબીરીયા પરંપરા)ની યોગ જ્ઞાનમાર્ગી ભજનવાણીના સર્જક. કોટડા સાંગાણીના પ્રેમ સાહેબ (ઇ.સ.૧૭૯ર ૧૮૬૩)ના ગુરુભાઈ હતા.

અરજણ ભગત
વ્યવસાયધાર્મિક સાહિત્યકાર Edit this on Wikidata