અરુણ મણિલાલ ગાંધી (જન્મ ૧૯૩૪‌) એક ભારતીય-અમેરિકન સામાજિક-રાજકીય કાર્યકર છે. તેઓ મોહનદાસ ગાંધીના પાંચમા પૌત્ર છે. તેઓ પોતાના દાદાને અનુસરીને એક કાર્યકર તો બન્યા, પણ દાદા ની સન્યાસી જીવનશૈલી થી દુર રહ્યા.

અરુણ મણિલાલ ગાંધી
જન્મ૧૪ એપ્રિલ ૧૯૩૪ Edit this on Wikidata
ડર્બન Edit this on Wikidata
મૃત્યુ૨ મે ૨૦૨૩ Edit this on Wikidata
કોલ્હાપુર Edit this on Wikidata
વ્યવસાયબાળસાહિત્ય લેખક, political activist Edit this on Wikidata

પ્રારંભિક જીવન ફેરફાર કરો

અરુણ ગાંધીએ પોતાના દાદાના દક્ષિણ આફ્રિકામાં એક નાના, દૂરસ્થ વસાહત આશ્રમમાં મોટાભાગનું બાળપણ ગુજાર્યુ. ઉછેરમાં, આસપાસના ક્ષેત્રોમાં કામ કરતા અભણ ખેતરના પરિવારો કરતા ગાંધીજીને શિક્ષણનો ફાયદો થયો હતો. "ગરીબીમાં કેમ જીવન ગાળવું" તે શીખવા તેમના દાદા તેમણે દરરોજ શાળા પછી પડોશી બાળકો સાથે રમવા પ્રોત્સાહિત કરતા. સાથોસાથ અરુણ દરરોજ વર્ગમાં જે શીખ્યા હોય તે બાળકોને શીખવવા માટે પણ પ્રોત્સાહન આપતા. ગાંધીએ આને પોતાને માટે "સર્વોત્તમ સર્જનાત્મક અને અજોડ અનુભવ" ગણાવ્યો. આખરે, બાળકો અને તેમના માતા-પિતા ના ટોળાં પાઠ શીખવા આવવા માંડયા. આ સમયે ગાંધી, કરુણા અને સહભાગિતાનું મહત્ત્વ શીખ્યા.[૧]

કારકિર્દી ફેરફાર કરો

અરુણ મણિલાલ ગાંધી પોતાની જાતને એક હિન્દુ માને છે પરંતુ સાર્વત્રિકવાદી વિચારોને વ્યક્ત કરે છે.[૨] ગાંધીએ ખ્રિસ્તી પાદરીઓ સાથે મળીને કામ કર્યું છે અને તેમના ફિલસૂફીઓ બૌદ્ધ, હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી વિચારોથી પ્રભાવિત છે. તેમના દાદાની જેમ, તેઓ પણ 'અહિંસા'ની વિભાવનામાં માને છે.[૩]

૧૯૮૨ માં, જ્યારે કોલંબિયા પિક્ચર્સે તેમના દાદાના જીવન પર આધારિત ફિલ્મને રિલીઝ કરી, ગાંધીએ એક લેખ લખ્યો હતો જેમા એમણે ૨૫ મિલિયન ડોલર સાથે ફિલ્મ સબસિડી આપવા માટે ભારત સરકારની ટીકા કરી હતી, અને એવી દલીલ કરી હતી કે આ પૈસા બીજી મહત્તવ ની વસ્તુઓ પર ખર્ચવા જોઇતા હતા. ફિલ્મના વિશિષ્ટ સ્ક્રિનિંગમાં હાજરી આપ્યા પછી, ગાંધી એ નિરાકરણ પર આવ્યા કે ફિલ્મે તેમના દાદાના તત્વજ્ઞાન અને વારસા ને (તેની ઐતિહાસિક અયોગ્યતા હોવા છતાં) આબેહુબ સમજાવ્યું હતું. તેમના દલીલ લેખને વ્યાપકપણે પુનઃમુદ્રિત અને ઉજવવામાં આવ્યા હોવા છતાં, ફિલ્મના વિશિષ્ટ સ્ક્રિનિંગ પછી તેમણે પ્રથમ લેખ પાછો ખેંચી લીધો હતો.[૪]

૧૯૮૭ માં, મિસિસિપી યુનિવર્સિટીમાં એક ખાસ અભ્યાસ પર કામ કરવા માટે, અરુણ ગાંધી તેમની પત્ની સુનંદા સાથે યુનાઇટેડ સ્ટેટ્સ ગયા હતા. આ અભ્યાસમાં ભારત, યુ.એસ. અને દક્ષિણ આફ્રિકામાં અસ્તિત્વમાં રહેલા ભેદભાવની તપાસ કરવામાં આવી હતી. પછીથી તેઓ મેમ્ફિસ, ટેનેસીમાં ગયા અને કેથોલિક શૈક્ષણિક સંસ્થા ક્રિશ્ચિયન બ્રધર્સ યુનિવર્સિટી દ્વારા હોસ્ટ થયેલી એમ.કે. ગાંધી ઇન્સ્ટિટ્યુટ ફોર અનવાયોલન્સની સ્થાપના કરી. આ સંસ્થા બંને સ્થાનિક અને વૈશ્વિક ધોરણે અહિંસાનો સિદ્ધાંત લાગુ પાડવા માટે સમર્પિત હતી. ઇન્સ્ટિટ્યૂટમાં તેમના કામ માટે, ગાંધીને બોસ્ટનની જ્હોન એફ. કેનેડી લાયબ્રેરી ખાતે પીસ એબ્બી કૌરેજ ઓફ કન્સ્રીન્સ એવોર્ડ રજૂ કરવામાં આવ્યો હતો. ૧૯૯૬ માં, તેમણે મોહનદાસ ગાંધી અને રેવ. ડો. માર્ટિન લ્યુથર કિંગ જુનિયર ની ફિલસૂફીઓ અને જીવનના વાર્ષિક ઉત્સવ નિમિત્તે "સિઝન ફોર નોનવાયોલ્ન્સ" ની સ્થાપના કરી[૫]

૨૦૦૩ માં, ગાંધી હ્યુમનિઝમ અને તેણી મહત્વાકાંક્ષાઓ (હ્યુમનિસ્ટ મેનિફેસ્ટો III) ના હસ્તાક્ષરોમાંનો એક હતો.[૬]

૨૦૦૭ ના અંતમાં, ગાંધી સેલ્સબરી, મેરીલેન્ડમાં સેલીસ્બરી યુનિવર્સિટીમાં "ગાંધી ઓન પર્સનલ લીડરશીપ એન્ડ નોનવાયોલન્સ" કોર્સ ના સહ-અધ્યાપક હતા.[૭] ૧૨ નવેમ્બર, ૨૦૦૭ ના રોજ, ગાંધીએ "એક વ્યક્તિ પણ ફેર લાવી શકે છે" લેક્ચર સિરીઝ માટે સેલીસ્બરી યુનિવર્સિટી સેન્ટર ફોર કોન્ફ્લિક્ટ રિસોલ્યુશન માટે "ટેરરિઝમના યુગમાં અહિંસા" નામનુ એક પ્રવચન આપ્યું હતું.[૮] ૨૦૦૮ ના અંત ભાગમાં, ગાંધીજીએ "ગાંધીજીનો વૈશ્વિક પ્રભાવ" નો અભ્યાસક્રમ સહ-શીખવવા માટે સેલીસ્બરી યુનિવર્સિટી પાછા ફર્યા.[૯]

૨૦૦૭ માં, તેમની પત્ની ના અવસાન પછી, સંસ્થા રોચેસ્ટર, ન્યૂયોર્કમાં ખસેડવામાં આવી હતી, અને હાલમાં રોચેસ્ટર યુનિવર્સિટીના કેમ્પસ ખાતે આવેલી છે.[૧૦] વોશિંગ્ટન પોસ્ટના "ફેઇથ" વિભાગમાં જાન્યુઆરી ૨૦૦૮ ના રોજ એમણે એક લેખ પ્રકાશિત કર્યો. ગાંધીએ એ લેખ મા જણાવ્યું હતું કે ઇઝરાયેલીઓએ હોલોકાસ્ટ વિશે વધારે વાત કરે છે અને એણે કારણે વિશ્વ સહાનુભૂતિ ગુમાવી હતી. તેઓ એ એમ પણ જણાવ્યુ કે ઇઝરાયેલ અને યુ.એસ. નુ યોગદાન "હિંસા સંસ્કૃતિ" ફેલાવવામા સહુ થી વધારે છે. આને કારણે રોચેસ્ટર સાથે ના તેમના સંબંધો મા ખટાશ આવી હતી. ગાંધીએ એમ કહીને માફી માંગી હતી કે તેમનુ કેહવુ એમ હતુ કે જમણેરી લિકુડ સમર્થકો સમસ્યાનો હિસ્સો હતા, પરંતુ યુનિવર્સિટીએ તેમની સમજૂતી ન સ્વીકારી અને તેમને જાણ કરી હતી કે જ્યાં સુધી તે તેનાથી રાજીનામું નહિ આપે ત્યાં સુધી સંસ્થા બંધ રહેશે. ગાંધીજીએ થોડા સમય પછી તરત જ સંસ્થા છોડી દીધી અને તે પછીથી કોઇ પણ ક્ષમતામાં સંસ્થામાં પાછા ફર્યા નથી.

ગાંધીએ અહિંસા પર ઘણા દેશોમાં ઘણા ભાષણો આપ્યા છે. ઇઝરાયલના તેમના પ્રવાસ દરમિયાન, સ્વતંત્રતા ની ખાતરી આપતા તેમણે પેલેસ્ટાઈન ના લોકો ને ઇઝરાયેલી તાબા સામે શાન્તિપુર્વક પ્રતિકાર કરવા માટે વિનંતી કરી. ઓગસ્ટ ૨૦૦૪ માં, ગાંધીએ પેલેસ્ટિનિયન સંસદને દરખાસ્ત કરી કે ૫૦,૦૦૦ શરણાર્થીઓ એ જોર્દન નદી ને એક શાંતિપૂર્ણ કૂચ કરી ને પાર કરવી અને પોતાના વતન પાછા ફરવુ અને કહ્યું કે સંસદસભ્યો એ કુચ ની આગેવાની લેવી. ગાંધીએ એવો પણ દાવો કર્યો હતો કે દક્ષિણ આફ્રિકાના રંગભેદના કિસ્સામાં સબડતા લોકો કરતા પેલેસ્ટિનિયન લોકો નુ ભવિષ્ય દસ ગણુ વધુ ખરાબ છે. તેમણે પૂછ્યું: "શું થશે? કદાચ ઈઝરાયેલી સૈન્ય ઘણાને મારશે અને મારી નાખશે. તેઓ ૧૦૦ લોકો ને મારી શકશે. તેઓ ૨૦૦ પુરૂષો, સ્ત્રીઓ અને બાળકોને મારી શકશે. અને તે વિશ્વને આંચકો આપશે. વિશ્વ જાગ્શે અને કેહશે 'શું ચાલી રહ્યું છે?'.[૧૧]

૧૨ ઓકટોબર, ૨૦૦૯ ના રોજ ગાંધીજીએ સ્કોટલેન્ડ ના ઇસ્ટ લોથિયન પ્રાન્ત ના ૭મા ધોરણ ના વિધ્યાર્થીઓ સાથે મુસેલબર્ગ ના બ્રુન્ટન થિયેટર માં વાત કરી. ૧૧ નવેમ્બર, ૨૦૦૯ ના રોજ ગાંધીએ ચટ્ટાનૂગા, ટેનેસ્સી ની ચટ્ટાનૂગા રાજ્ય ટેકનિકલ કોમ્યુનિટી કોલેજની મુલાકાત લીધી અને તેમના શાન્તિ ના સંદેશનો ફેલાવો કર્યો. ૧૩ નવેમ્બર, ૨૦૦૯ ના રોજ ગાંધીએ તેમના શાંતિનો સંદેશ ફેલાવવા માટે ક્લેવલેન્ડ, ટેનેસીના ક્લેવલેન્ડ સ્ટેટ કોમ્યુનિટી કોલેજની મુલાકાત લીધી. ૧૬ નવેમ્બર, ૨૦૧૦ ના રોજ ગાંધીએ લામોમી, વ્યોમિંગમાં વ્યોમિંગની યુનિવર્સિટી ની મુલાકાત લીધી અને શાંતિના સંદેશનો ફેલાવો કર્યો.[૧૨]

2 માર્ચ, 2011 ના રોજ, અરુણ ગાંધીએ પૂર્વ પશ્ચિમ સેન્ટર ખાતે હવાઈ યુનિવર્સિટીના કેમ્પસમાં મનોઆ ખાતે, હોનોલુલુ, હવાઈમાં પ્રવચન આપ્યુ હતુ. તેમણે અહિંસકતા વિશે વાત કરી હતીઃ એ મીન્સ ફોર સોસિયલ ચેન્જ. તે જ દિવસે તેમણે હોનોલુલુના ઇઓલાની સ્કૂલમાં "વિઝ્ડમ ઑફ ચુસીગ પીસ" ના વિષય પર બીજુ પ્રવાચન આપ્યુ હતુ. 3 માર્ચ, 2011 ના રોજ, હવાઈમાં હોનોલુલુમાં સ્પાર્ક મત્સુનાગા ઇન્સ્ટિટ્યૂટ ફોર પીસ એન્ડ કોન્ફ્લિક્ટ રિઝોલ્યુશન દ્વારા પ્રાયોજિત એક ઇવેન્ટમાં, ગાંધીએ હવાઈ આર્કિટેક્ચર બિલ્ડીંગ યુનિવર્સિટીમાં વાત કરી હતી. માર્ચ 4, 2011 ના રોજ હોનોલુલુ, હવાઈમાં પેસિફિક બૌદ્ધ એકેડેમી ખાતે વાત કરી. તેમણે "હવાઈ અને વિશ્વમાં માનવ અધિકારોની સંસ્કૃતિ બનાવવા માટે શાંતિની શક્તિ" વિષય પર હવાઈ રાજ્ય કેપિટોલ (જાહેર સભાગૃહ) સાથે વાત કરી હતી. આ હ્યુમન રાઇટ્સ વીકનો એક ભાગ હતો, જે હવાઈ રાજ્ય દ્વારા પ્રાયોજિત કરવામાં આવ્યો હતો. તેમણે "ગાંધીવાદી શાંતિ (અહિંસકતા) આધુનિક દિવસ સંઘર્ષના ઉકેલ માટે પાથવે" વિષય પર ડાઉનટાઉન હોનોલુલુના પાયોનિયર પ્લાઝા ક્લબમાં પણ વાત કરી હતી. માર્ચ 5, 2011 ના રોજ ગાંધીએ હૉનોલુલુ, હવાઈમાં કૃષ્ણ ભાવનામૃત મંદિર માટે ઇન્ટરનેશનલ સોસાયટીની મુલાકાત લીધી અને શાંતિનો સંદેશો ફેલાવ્યો. તેમણે "ઓલ લિવિંગ બીઇંગ્સ તરફ અહિંસકતાના માર્ગ", અને PAAAC યુવા પરિષદના ભાગરૂપે હવાઈ કન્વેન્શન સેન્ટરના વિષય પર ડૉ. ટેરી શિંટાની દ્વારા પ્રાયોજિત ઇવેન્ટમાં, હોનોલુલુના હો નો હિકારી ચર્ચમાં પણ વાત કરી હતી. ૬ માર્ચ, ૨૦૧૧ ના રોજ ગાંધીએ "મારા પડોશી સાથે શીખ્યા પાઠો" વિષય પર ડાયરી હેડ, હોનોલુલુ યુનિટી ચર્ચમાં બોલ્યા.[૧૩]

 
ડાબેથી જમણે: ગાંધી, "ગાંધી દાદા" ના તેમના સહ લેખક બેથની હેગેડસ, અને ઇલ્યાસહ શેબઝ, માલ્કમ એક્સની પુત્રી, એક રાજકીય આકૃતિ ના બાળ ઉછેર ના વિષય પર ૨૦૧૪ બ્રુકલિન બૂક ફેસ્ટિવલ ખાતે "પીસ: ધ નેક્સ્ટ જનરેશન" પેનલ પર.

વી આર વન ફાઉન્ડેશન ના બાર્બરા અલ્ટીમસ અને ગાંધીવાદી ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પીસે ભેગા મડી ને ગાંધીના ૨૦૧૧ ના હોનોલુલુના પ્રવાસ ને પ્રાયોજિત કર્યો હતો. ઓસ્કર-નામાંકિત વિલિયમ ગઝેકી દ્વારા દિગ્દર્શિત અને બાર્બરા ઓલ્ટેમસ દ્વારા નિર્માણ પામેલ દસ્તાવેજી ફિલ્મ "ધ કોલિંગ: હીલ અવરવેસ હીલ અવર પ્લેનેટ" માં ગાંધી દર્શાવવામાં આવ્યા છે.[૧૪]

૨૩ માર્ચ, ૨૦૧૨ ના રોજ, પેન્સિલવેનિયાના ગ્લેન્સાઇડમાં આર્કેડીયા યુનિવર્સિટી ખાતે યોજાયેલી પ્રથમ વાર્ષિક ઇગેજીગ પીસ કોન્ફરન્સમાં ગાંધી મુખ્ય વક્તા હતા.[૧૫]

માર્ચ ૨૦૧૪ માં, એથેન્યુમ બૂક્સ ફોર યંગ વાચકોએ "ગાન્ધી દાદા" નામનુ બાળકો નુ એક પુસ્તક પ્રકાશિત કર્યું હતું, જે અરુણ ગાંધીએ બેથેની હેગેડસ સાથે સહલેખ્યુ હતુ અને ઇવાન ટર્કે સચિત્રિત કર્યુ હતુ.[૧૬] ચિત્ર-પત્ર સંસ્મરણો, જે શાંતિ-સંદેશ મોકલાવે છે, તે કેવી રીતે અરુણના દાદા, કે જે ક્યાં તો નાશ કરી શકે છે અથવા પ્રકાશિત કરી શકે છે તે ગુસ્સાને ગણાવે છે તે વાર્તા કહે છે, અરુણને શાંતિપૂર્ણ પદ્ધતિઓનો ઉપયોગ કરીને અન્યાયનો પ્રતિભાવ આપવા માટે "અંધકારને પ્રકાશમાં ફેરવવા" ". આ પુસ્તકમાં અરુણ, તેમના દાદાના ધ્યાનની આજ્ઞા પાળનારા, તેમના શાળાના કાર્યથી નિરાશ થયા હતા અને તેમના ગુસ્સોને અંકુશમાં રાખવામાં અસમર્થતાને લીધે શરમિંદગીભર્યા તેમના દાદાને ગૌરવ આપવા માટે સંઘર્ષ કર્યો તે રીતે આ પુસ્તક પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. બાળકના વાચકોને સમજી શકાય તેવા જટિલ ઐતિહાસિક મુદ્દાને ધ્યાનમાં લેવા માટે, અને બાળકોને લાગણીશીલ પડઘા સાથેના ચિત્રને બનાવવા માટે કાગળના કાગળની અમૂર્ત છબીઓનો ઉપયોગ કરવા માટે, આ પુસ્તકને બાળકના દ્રષ્ટિકોણ માટે હકારાત્મક સમીક્ષાઓ મળ્યા હતા.[૧૭][૧૮][૧૯]

અંગત જીવન ફેરફાર કરો

2016 ના પ્રમાણે, અરુણ મણિલાલ ગાંધી રોચેસ્ટર, ન્યૂ યોર્કમાં રહે છે.[૧]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ Hewitt, Scott (January 18, 2015). "Gandhi’s grandson urges change from within". The Columbian.
  2. Arun Gandhi reaches beyond Hindu religious traditions
  3. (May 8, 2018) Arun Gandhi Biography સંગ્રહિત ૨૦૧૯-૦૩-૦૪ ના રોજ વેબેક મશિન
  4. (Jan 18, 2015) Arun Gandhi on movie "Gandhi"
  5. http://www.agnt.org/season-for-nonviolence Season for nonviolence
  6. (May 8, 2018) Human Manifesto III Signers
  7. Salisbury University press release સંગ્રહિત ૨૦૧૨-૦૮-૦૫ ના રોજ archive.today, July 17, 2007.
  8. Salisbury University press release: Dr. Arun Gandhi Speaks on Nonviolence November 12 સંગ્રહિત ૨૦૧૨-૦૮-૦૫ ના રોજ archive.today, October 23, 2007.
  9. "SU's Polkinghorn Receives Second Elkins Professorship" સંગ્રહિત ૨૦૧૨-૦૮-૦૫ ના રોજ archive.today. Salisbury University. September 12, 2008
  10. Gandhi Institute for Nonviolence Relocates to University of Rochester, June 1, 2007 press release, University of Rochester.
  11. March home, urges Gandhi grandson, August 31, 2004.
  12. http://www.uwyo.edu/uw/news/2010/10/uw-social-justice-research-center-hosts-gandhis-grandson-nov.-16.html
  13. (Mar 7, 2011) "Gandhi's talk in Honolulu"
  14. (May 4, 2018). "The calling".
  15. (Mar 23, 2012) Engaging Peace Conference
  16. Rule, Adi (April 16, 2014). "Bethany Hegedus, Arun Gandhi, and GRANDFATHER GANDHI" સંગ્રહિત ૨૦૧૭-૧૦-૧૯ ના રોજ વેબેક મશિન. "the MFA in Writing for Children & Young Adults Author Blog", Vermont College of Fine Arts.
  17. Bird, Elizabeth (April 8, 2014). "Review of the Day: Grandfather Gandhi by Arun Gandhi and Bethany Hegedus". School Library Journal.
  18. Smith, Robin (November 4, 2014). "Grandfather Gandhi". The Horn Book Magazine.
  19. "Grandfather Gandhi". Publishers Weekly. Retrieved September 6, 2015.