આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ

આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસની ઉજવણી

૧૯૯૬માં સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભાએ ૭ ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો હતો.[૧]

આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ
એરબસ એ૩૮૦
ઉજવવામાં આવે છેસંયુક્ત રાષ્ટ્રસંઘના સભ્ય રાષ્ટ્રો
તારીખ૭ ડિસેમ્બર
આવૃત્તિવાર્ષિક

આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન (આઇસીએઓ) દ્વારા આ દિવસની ઉજવણી ૭ ડિસેમ્બર, ૧૯૯૪થી કરવામાં આવી છે, જે આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન પરના સંમેલન પર હસ્તાક્ષરની ૫૦મી વર્ષગાંઠ છે. આ દિવસનો હેતુ વિશ્વના સામાજિક અને આર્થિક વિકાસ માટે ઉડ્ડયનના મહત્વને, ખાસ કરીને આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીના મહત્ત્વને ઓળખવાનો છે. આ દિવસનો હેતુ પ્રદેશના સામાજિક અને આર્થિક વિકાસ માટે આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયનના મહત્વ વિશે વિશ્વવ્યાપી જાગૃતિ પેદા કરવાનો અને વિકાસને મજબૂત કરવામાં મદદ કરવાનો છે. આ ઉપરાંત તમામ માનવજાતની સેવામાં વૈશ્વિક ઝડપી પરિવહન નેટવર્કને સહકાર આપવા અને સાકાર કરવામાં રાષ્ટ્રોને મદદ કરવામાં આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન (આઇસીએઓ)ની અનન્ય ભૂમિકાનો છે. યુએન અને વિશ્વ રાષ્ટ્રોએ હવે એજન્ડા ૨૦૩૦ અપનાવ્યો છે, અને વૈશ્વિક ટકાઉ વિકાસમાં નવા યુગની શરૂઆત કરી છે. વૈશ્વિક સંપર્ક (કનેક્ટિવિટી)ના એન્જિન તરીકે ઉડ્ડયનનું મહત્વ વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિના મૂળભૂત બળ તરીકે આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન તરફ જોવાના શિકાગો કન્વેન્શનના ઉદ્દેશો સાથે ક્યારેય વધુ સુસંગત રહ્યું નથી.

સંદર્ભ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો