આઈના મહેલ

ભુજ, ગુજરાત, ભારતમાં ૧૮મી સદીનો મહેલ
(આયના મહેલ થી અહીં વાળેલું)

આઈના મહેલભારતના પશ્ચિમ ભાગના એક રાજ્ય ગુજરાતના સૌથી મોટા કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં આવેલો ૧૮મી સદીમાં બંધાયેલો એક મહેલ છે. આ મહેલ પ્રાગ મહેલની બાજુમાં આવેલો છે. આ મહેલ ૧૭૬૧માં રાવ લખપતજી દ્વારા બંધાવવામાં આવ્યો.[૧] આના મુખ્ય વાસ્તુકાર કચ્છી મિસ્ત્રી રામ સિંહ માલમ હતા.[૨][૩]મહેલની દિવાલો સફેદ આરસની છે જેમાં અરીસાઓ લગાવવામાં આવ્યા છે.[૪]

આઈના મહેલનો એક ગલિયારો
રાવ લખપતજીનો ઓરડો
નુકશાન પામેલા આયના મહેલનો બહારનો ભાગ

૨૦૦૧ના ગુજરાત ધરતીકંપમાં આ મહેલ પૂર્ણ રીતે નાશ પામ્યો હતો. પણ આ મહેલનો એક ભાગ ને તેટલું નુકશાન થયું ન હતું. તેનું સમારકામ કરીને તેને પુનઃ સ્થાપિત કરરવામાં આવ્યો છે. આ ભાગમાં એક શયન ખંડ, સંગીત ખંડ, દરબાર ખંડ, અમુક પુરાતન વસ્તુઓ, ચિત્રો, શસ્ત્રો અને સિંહાસન આદિ સાચવીને મુકવામાં આવ્યાં છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. Desai, Anjali (૨૦૦૭). India Guide Gujarat. India Guide Publications. પૃષ્ઠ ૩૯૩. ISBN 9780978951702.
  2. Gujarat State Gazetteer - Volume 2 - Page 533, 1991.
  3. Bhuj: art, architecture, history - Part 4 - Page 34
  4. Gujarat State Gazetteers: Junagadh - Page 589, 1971.

બાહ્ય કડીઓ ફેરફાર કરો