ઉલ્કાસૌરમંડળમાં વેરાયેલા રેતકણ જેવડાં નાના કદથી લઇ અને વિશાળ મોટા પથ્થરનાં કદનાં ભંગારનાં કણો છે. આ પ્રકારનાં નાના મોટા પદાર્થો જ્યારે પૃથ્વીનાં ગુરૂત્વાકર્ષણને કારણે ખેંચાઇ આવે છે, ત્યારે તે વાતાવરણનાં ઘર્ષણને કારણે પોતાનાં પતન માર્ગનો પ્રકાશીત પથ દર્શાવે છે, જેને સામાન્ય ભાષામાં આપણે "ખરતો તારો" કે "ઉલ્કાપાત" કહીએ છીએ. આ પદાર્થ (meteoroid) ક્યારેક વાતાવરણમાં સંપુર્ણ ભસ્મીભુત ન થતાં જમીન સુધી પહોંચી આવે છે, જેને પણ 'ઉલ્કા' (meteorite) કહેવાય છે.

વાતાવરણમાં પ્રવેશતી ઉલ્કા.

દરરોજ અંદાજે ૨.૫ કરોડ ઉલ્કા, નાની ઉલ્કા અને અન્ય અવકાશ કચરો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે છે, જેના પરિણામે દર વર્ષે અંદાજે ૧૫,૦૦૦ ટન પદાર્થ વાતાવરણમાં પ્રવેશ કરે છે.

છબીઓ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો