કડેશ્વરી દેવી મંદિર

મુંબઈમાં બાંદ્રા ખાતે હિન્દૂ મંદિર

કડેશ્વરી દેવી મંદિર ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના મુખ્ય શહેર મુંબઈમાં બાંદ્રા ઉપનગર ખાતે આવેલ એક હિંદુ મંદિર છે. આ મંદિર માતા કડેશ્વરી દેવીને સમર્પિત છે અને બાંદ્રા કિલ્લાની પાછળના ભાગમાં દરિયાકિનારા અને બેન્ડ સ્ટેન્ડ નજીકમાં ટેકરી પર આવેલ છે.[૧]

કડેશ્વરી દેવી મંદિર
મંદિર ખાતે કડેશ્વરી દેવીની પ્રતિમા
ધર્મ
જોડાણહિંદુ
જિલ્લોમુંબઈ
સ્થાન
સ્થાનબાંદ્રા
રાજ્યમહારાષ્ટ્ર
દેશભારત
અક્ષાંશ-રેખાંશ19°2′32.8″N 72°49′11.34″E / 19.042444°N 72.8198167°E / 19.042444; 72.8198167

કડેશ્વરી દેવીની મૂર્તિ અહીં શક્તિ સ્વરૂપમાં છે. મંદિર બાંદ્રા રેલ્વે સ્ટેશન થી લગભગ ૨ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે.

સમુદ્રના જળસ્તરમાં થતા સતત ફેરફારને કારણે મંદિરના પાયા તેમ જ બાંદ્રાના કિલ્લા ફરતેની દિવાલોને થતું નુકસાન અટકાવવા માટે, બૃહદ્‌ મુંબ‌ઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) દ્વારા વર્ષ ૨૦૦૬માં યોજના ઘડવામાં આવી હતી.[૨]

સંદર્ભો ફેરફાર કરો

  1. "BMC razes shanties near Bandra Fort Manthan K Mehta I TNN". IndiaMapia.com. મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ ૩ ફેબ્રુઆરી ૨૦૧૩.
  2. Mehta, Rajshri (૨૬ ડિસેમ્બર ૨૦૦૬). "PWD anti-erosion plan runs into rough waters". DNA (newspaper). મેળવેલ ૪ એપ્રિલ ૨૦૧૩. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)