કબીરપંથ

૧૬ મી સદીના ભારતીય કવિ સંત, કબીર સાહેબ

કબીરપંથ કે સતગુરૂ કબીરપંથભારત ના ભક્તિકાળિન કવિ સંત કબીર ની શિક્ષાઓ પર ચાલેલો પંથ છે.[૧] કબીર ના શિષ્ય ધર્મદાસે તેમના નિધન લગભગ સો સાલ બાદ આ પંથ ની શરૂઆત કરી હતી. આરંભ માં ફિલસૂફીક અને ચારિત્ર્ય શિક્ષા પર આધારિત આ પંથ કાળાંતર માં એક ધાર્મિક સંપ્રદાય માં બદલાયું હતું. કબીરપંથ ના અનુયાયિયો માં હિંદુ, શીખ, મુસલમાન, બૌદ્ધ અને જૈન તમામ ધર્મો ના લોકો શામેલ છે. પરંતુ તેમાં બહુતાયત હિંદુઓ ની છે.[૨] કબીર ની રચનાઓ નો સંગ્રહ કબીર બીજક આ પંથ ના ફિલસૂફીક અને આધ્યાત્મિક ચિંતન નો ગ્રંથ છે.

સતગુરૂ કબીરસાહેબ અને રામાનંદ

પોતાના કાવ્ય માં કબીરે પંથ ને મહત્ત્વહીન કહે છે અને તેનો ઉપહાસ ઉડાવ્યો છે. "ઐસા જોહ ન દેખા ભાઈ. ભૂલા ફિરૈ લીએ ગફિલાઈ.. મહાદેવ કો પંથ ચલાવૈ. ઐસો બડો મહંથ કહાવૈ.."[૩] કબીરપંથ ના વિદ્વાન કેદારનાથ દ્વિવેદી મુજબ તેનું કોઈ સ્પષ્ઠ પ્રમાણ નથી કે પંથ ની સ્થાપના કબીરે પોતે કરી. કબીર નાં મરણ પછી તેમના શિષ્યોએ આ કાર્ય કર્યું.

ઇતિહાસ ફેરફાર કરો

દ્વિવેદી કબીરપંથ ની સ્થાપના ની પશ્ચાદ્ભૂમિકા નો ઉલ્લેખ કરે છે, "કહેવાય છે કે સૌથી પહેલા સંતો માં નાનકે જ પંથ રચના ની શરૂઆત કરી હતી અને તેમણે તેમના કેટલાક નિયમ પણ બનાવ્યા હતા. કદાચ નાનકદેવ (સંવત ૧૫૯૫) મુજબ જ કબીરપંથ ની સ્થાપના માં આવી હશે... દાદૂપંથી રાઘવદાસે પોતાના હસ્તલિખિત ગ્રંથ ભક્તમાલ (૧૭૧૭) માં ધર્મદાસ ને કબીર નો શિષ્ય તરીકે કહ્યો છે. છત્તીસગઢી શાખા નો ઇતિહાસ પ્રસ્તુત કરતા સમયે પછી ધર્મદાસ ના આવિર્ભાવ ની તિથિ સત્તરમી સદી ના પહેલા ચરણ ના લગભગ સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો. કદાચ ધર્મદાસે જ પંથ ને વ્યાપક બનાવવા માટે સૌથી પહેલું કદમ ઉઠાવ્યું હતું."[૪]

ખાસ શાખાઓ ફેરફાર કરો

ભારત માં કબીરપંથ ની મુખ્યતઃ ત્રણ શાખાઓ માનવા માં આવી છે. કાશી (કબીરચૌરા) શાખા, ધનૌરી ભગતાહી શાખા અને છત્તીસગઢી શાખા. આ શાખાઓ ના સ્થાપક ક્રમશઃ શ્રુતિ ગોપાળ સાહેબ, ભગવાન ગોસાઈ તથા મુક્તામણિ નામ સાહેબ માનવામાં આવે છે.[૫]

મહત્ત્વપૂર્ણ સ્થળો ફેરફાર કરો

કબીરપંથ ની ખાસ શાખાઓ નાં મહત્ત્વપૂર્ણ સ્થળો નીચે પ્રમાણે છે:[૬]

  • કબીર ધર્મનગર દામાખેડા - રાયપુર છત્તીસગઢ (ધરમદાસી વંશ ની શાખા).[૭]
  • કબીર ચૌરા - વારાણસી (મગહર ની શાખા).[૮]
  • બિડ્ડુપુર બેઠક, જગ્ગુસાહેબ દ્વારા સ્થાપિત[સંદર્ભ આપો].
  • ધનુઅતી (છાપરા, બિહાર), ભગવાનસાહેબ (બીજક નો લખનાર) દ્વારા સ્તાપિત [૯]
  • છત્તીસગઢ બેઠક - કુદુરમલ, મુક્તામણિસાહેબ (વિક્રમ સંવત ૧૫૭૦-૧૬૩૦) દ્વારા સ્થાપિત.

કબીર નાં ચિત્રો ફેરફાર કરો

સન્દર્ભો ફેરફાર કરો

  1. Oxford Dictionaries તરફથી વ્યાખ્યા[હંમેશ માટે મૃત કડી]
  2. Dissent, protest, and reform in Indian civilization. Indian Institute of Advanced Study, 1977
  3. કબીર બીજક, શુદેવસિંહ, નીલાભ પ્રકાશન, ૧૯૭૨, પૃષ્ઠ ૧૦૩
  4. कबीर और कबीर पंथ, डॉ॰ केदार नाथ द्विवेदी, हिंदी साहित्य सम्मेलन, प्रयाग, प्रथम संस्करण, १९६५, पृष्ठ- १६२
  5. ભારત માં કબીરપંથ ની ખાસ શાખાઓ
  6. ભારત માં કબીરપંથ ની ખાસ શાખાઓ http://tdil.mit.gov.in/coilnet/ignca/kabir026.htm#005 સંગ્રહિત ૨૦૧૭-૦૭-૨૪ ના રોજ વેબેક મશિન
  7. "About: Vansh Gaddi". Sadguru Kabir Dharamdas Vanshawali. 2015-05-05. મેળવેલ 2015-05-05.
  8. list of Acharyas of the Moolgadi http://www.kabirchaura.com/lineage/lineage.html[હંમેશ માટે મૃત કડી]
  9. Essays and lectures on the religions of the Hindus, Volume 1, by Horace Hayman Wilson, Reinhold Rost (ed.)

વધુ વાંચન ફેરફાર કરો