કામેશ્વરસિંહ દરભંગા સંસ્કૃત વિશ્વવિદ્યાલય

કામેશ્વરસિંહ દરભંગા સંસ્કૃત વિશ્વવિદ્યાલય બિહાર ખાતે આવેલ એક વિશ્વવિદ્યાલય છે. તેની સ્થાપના ૨૬મી જાન્યુઆરી ૧૯૬૧ના રોજ કરવામાં આવી હતી. દરભંગાના દાનવ્ગીર રાજા કામેશ્વરસિંહની યાદને તાજી રાખવા માટે આ વિશ્વવિદ્યાલયનું નામ તેમની સાથે જોડવામાં આવ્યું છે. આ યુજીસી દ્વારા માન્યતા પ્રાપ્ત એક્ વિશ્વવિદ્યાલય છે અને ઍસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીની સદસ્યતા ધરાવે છે. આ બિહાર રાજ્યમાં સૌપ્રથમ અને ભારતમાં દ્રિતિય સંસ્કૃત વિશ્વવિદ્યાલય છે. આ વિશ્વવિદ્યાલયના મુખ્યાલયમાં સ્નાતકોત્તર (આચાર્ય)ના અધ્યયનની સાથે-સાથે સંસ્કૃત વ્યાકરણ વગેરે શાસ્ત્રોમાં શોધ કાર્યની પણ વ્યવસ્થા છે. આ ઉપરાંત વિશ્વવિદ્યાલયના મુખ્યાલયમાં શિક્ષાશાસ્ત્રી (B. Ed.)ના અધ્યયનની પણ વ્યવસ્થા છે. આ વિશ્વવિદ્યાલયની સાથે ૩૧ શાસ્ત્રી સ્તરના મહાવિદ્યાલય અને ૧૫ ઉપશાસ્ત્રીસ્તરના મહાવિદ્યાલય સંકળાયેલા છે. આ ઉપરાંત કેટલાક નોનગ્રાન્ટેડ સંસ્કૃત વિદ્યાલય પણ આની સાથે જોડાયેલા છે.

કામેશ્વરસિંહ દરભંગા સંસ્કૃત વિશ્વવિદ્યાલય
कामेश्वर सिंह दरभंगा संस्कृत विश्वविद्यालय
પ્રકારસાર્વજનિક
સ્થાપના1961
કુલપતિશ્રી રામનાથ કોવિન્દ
ઉપકુલપતિશ્રી દેવ નારાયણ ઝા
સ્થાનદરભંગા બિહાર, ભારત, ભારત
કેમ્પસશહેરી વિસ્તાર
જોડાણોયુજીસી
વેબસાઇટksdsu.edu.in

શૈક્ષણિક વિભાગો ફેરફાર કરો

વિશ્વવિદ્યાલયના મુખ્યાલયમાં શૈક્ષણિક વિભાગોના નામ નીચે મુજબ છે:-

  1. - સ્નાતકોત્તર વ્યાકરણ વિભાગ
  2. - સ્નાતકોત્તર સાહિત્ય વિભાગ
  3. - સ્નાતકોત્તર જ્યોતિષ વિભાગ
  4. - સ્નાતકોત્તર વેદ વિભાગ
  5. - સ્નાતકોત્તર દર્શન વિભાગ
  6. - સ્નાતકોત્તર ધર્મશાસ્ત્ર વિભાગ
  7. - શિક્ષાશાસ્ત્ર વિભાગ