ખાન અબ્દુલ ગફાર ખાન (પશ્તો: خان عبدالغفار خان); ફખર-એ-અફઘાન (ઉર્દૂ: فخر افغان‎) અને બાચા ખાન (પશ્તો: باچا خان‎, મતલબ "સરદારોના બાદશાહ") (૧૮૯૦ - ૨૦ જાન્યુઆરી ૧૯૮૮) એક પઠાણ રાજકીય અને અધ્યાત્મિક આગેવાન હતા. તેઓ મહાત્મા ગાંધીના એક સારા દોસ્ત હતા અને તેઓ સરહદના ગાંધી તરીકે પણ ઓળખાવાય છે. તેઓ ભારતીય ઉપખંડમાં બ્રિટિશ શાસન વિરુદ્ધ જદોજહેદમાં અહિંસાના પ્રયોગ માટે જાણીતા છે. તેઓ શાંતિવાદી અને ધર્મનિષ્ઠ મુસલમાન હતા. ૧૯૧૦માં બાચા ખાને પોતાના મૂળ નગર ઉત્માનઝાઈમાં મદરેસા ખોલ્યા, અને ૧૯૧૧માં તુરંગઝાઈના હાજી સાહેબની આઝાદી તહેરીકમાં શામેલ થયા. પણ ૧૯૧૫માં બ્રિટિશ સરકારે તેમના મદરેસા પર પાબંદી મૂકી હતી.[૧] એક સમયે તેમનું સ્વપ્ન સંયુક્ત, સ્વતંત્ર અને ધર્મનિરપેક્ષ ભારત હતું. આ સ્વપ્ન માટે તેમણે ૧૯૨૦માં ખુદાઈ ખિદમતગાર નામે સંગઠનની સ્થાપના કરી. આ સંગઠન લાલ કુડતી કે બાદશાહ નામોથી પણ ઓળખાવાય છે.

ખાન અબ્દુલ ગફાર ખાન
જન્મ૬ ફેબ્રુઆરી ૧૮૯૦ Edit this on Wikidata
Hashtnagar Edit this on Wikidata
મૃત્યુ૨૦ જાન્યુઆરી ૧૯૮૮ Edit this on Wikidata
પેશાવર Edit this on Wikidata
વ્યવસાયરાજકારણી Edit this on Wikidata
બાળકોKhan Abdul Wali Khan, Khan Abdul Ali Khan, Khan Abdul Ghani Khan Edit this on Wikidata
પુરસ્કારો
  • Jawaharlal Nehru Award for International Understanding (૧૯૬૭) Edit this on Wikidata
પદની વિગતMember of the Constituent Assembly of India (૧૯૪૬ – અજાણી કિંમત), Member of the Advisory Committee of the Constituent Assembly of India (૧૯૪૭ – અજાણી કિંમત) Edit this on Wikidata

સંદર્ભો ફેરફાર કરો

  1. "Khan Abdul Ghaffar Khan" (PDF). Baacha Khan Trust. મૂળ માંથી મે 12, 2013 પર સંગ્રહિત. મેળવેલ February 4, 2013.