જવાહર નગર

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

જવાહર નગર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલાં ગુજરાત રાજ્યની સરહદે આવેલા કચ્છ જિલ્લાનાં ભુજ તાલુકાનું ગામ છે.

નામનો ઇતિહાસ ફેરફાર કરો

ઇ.સ. ૧૯૫૬ પહેલા જવાહર નગર, ઝુરણ તરીકે ઓળખાતું હતું. ૧૯૫૬માં કરછના ધરતીકંપ વખતે આ ગામમાં મોટી જાનહાની થતાં તમામ મકાનો ધ્વંશ થઇ ગયાં હતાં. ત્યારે, ભારતના તત્કાલીન વડાપ્રધાન શ્રી જવાહરલાલ નેહરુએ આ ગામની પાયાવિધી કરીને તેનુ પુન:નિર્માણ કરતા તે ઝુરણમાંથી જવાહર નગર બન્યું. ત્યાર બાદ કરછમાં આવેલા ૨૦૦૧ના વિનાશકારી ભુકંપમાં પણ આ ગામે ખુબજ તારાજી ભોગવી હતી.