જેઠવાસૂર્યવંશી રાજપૂતોનો એક શાખા વંશ છે. જેઓ પોતાને મકરધ્વજ ના વંશજો ઓળખાવે છે, જેનો ઉલ્લેખ રામાયણમાં પણ જોવા મળે છે. આ સૂર્યવંશના સૌથી જુના વંશો પૈકીનો એક વંશ છે. પોરબંદર રજવાડું જેઠવા વંશ શાસિત સૌથી મોટું રજવાડું હતું.

ઉત્પતિ ફેરફાર કરો

એવું સૂચવવામાં આવે છે કે સૌરાષ્ટ્ર દ્વીપકલ્પના પૂર્વીય ભાગ પર શાસન કરનાર સૈંધવ વંશને હવે જેઠવા તરીકે ઓળખવામાં આવે છે.[૧] એવું પણ સૂચન કરવામાં આવે છે કે જેઠવા શબ્દ કદાચ કદાચ જયદ્રથ કે જે સૈંધવ વંશનું અન્ય નામ હતું, જ્યેષ્ઠ એટલે મોટી શાખા અથવા જ્યેઠુકાથી ઉદ્ભવ્યું હતું, જેના કારણે પ્રદેશને પણ જ્યેઠુકદેશ કહેવામાં આવતો હતો.[૨]

આરાધના ફેરફાર કરો

અન્ય ક્ષત્રિય વંશોની જેમ જેઠવાઓ પણ શાક્ત છે, ગૌતમ ગૌત્ર સાથે સંબંધ ધરાવે છે અને તેઓ કુળદેવી તરીકે વિંધ્યાવસિની દેવીની આરાધના કરે છે.[૩] આ સિવાય તેઓ બ્રહ્માણી અને જેઠવા માતા નામના દેવીઓની પણ આરાધના કરે છે.

સંદર્ભો ફેરફાર કરો

  1. Nanavati, J. M.; Dhaky, M. A. (1969-01-01). "The Maitraka and the Saindhava Temples of Gujarat". Artibus Asiae. Supplementum. 26: 83. doi:10.2307/1522666.
  2. Kumar, Amit (2012). "Maritime History of India: An Overview". Maritime Affairs:Journal of the National Maritime Foundation of India. Taylor & Francis. 8 (1): 93–115. doi:10.1080/09733159.2012.690562.
  3. [૧] Folk art and culture of Gujarat: guide to the collection of the Shreyas Folk Museum of Gujarat, 1980