કૃષ્ણ દ્વેપાયન ભગવાન વેદવ્યાસ ના શિષ્ય જૈમિનિ એક મોટા ઋષિ હતા. તેઓ પૂર્વમીમાંસાદર્શનના પ્રવર્તક ઋષિ અને પૂર્વમીમાંસા નામનો તત્ત્વજ્ઞાનનો બહુ અટપટો શાસ્ત્રીય સૂત્રમય ગ્રંથ ના રચયિતા પણ છે. આ ગ્રંથ માં કર્મ કરવાથી જ મોક્ષ મળે છે એવો સિદ્ધાંત તેમણે સ્થાપિત કર્યો હતો. ઉત્તરમીમાંસા અથવા વેદાંત તેમના ગુરુ કૃષ્ણ દ્વૈપાયને બનાવેલ છે. આ ગ્રંથોમાં વેદવ્યાસે એના જૈમિનિ ઋષિના પક્ષનું ખંડન કર્યું છે.

તેમના કાર્યો ફેરફાર કરો

પૂર્વ મિમાંસા સૂત્ર ફેરફાર કરો

જૈમિનિ ખાસ કરીને તેમના પૂર્વ મીમાંસા સૂત્ર એટલે કે કર્મ મીમાંસાની રચના માટે પ્રસિદ્ધ છે, આ એક એવી રચના છે જે વેદીક આજ્ઞાઓનો અભ્યાસ કરે છે. આ પ્રાચીન ભારતીય તત્વદર્શનનો એક ભાગ છે.

ઈ.પૂ. ત્રીજી શતાબ્દીમાં રચાયેલી આ કૃતિમાં ૩,૦૦૦ સૂત્રો છે અને મીમાંસાદર્શનનું આધારભૂત સાહિત્ય છે. આ ગ્રંથનો હેતુ વેદોના કર્મ અને ધર્મની સમજૂતી આપવાનો છે જેનો ઉલ્લેખ શરૂઆતના ઉપનિષદોમાં પણ છે. જૈમિનિની મીમાંસા તે સમયના ગૂઢ વેદાંતના પ્રવાહની વિરુદ્ધ એક પ્રતિ-ચળવળ હતી. તેના પર શબરે પણ શરૂઆતના સૈકાઓમાં ટિપ્પણી કરી છે. [૧]

જૈમિની ભારત ફેરફાર કરો

તેમણે જૈમિની ભારતનામે મહાભારતના એક અન્ય સંસ્કરણની પણ રછના કરીએ જે તેના અશ્વમેઘ પર્વ નામના ખંડ માટે જાણીતી છે.[૨]

જૈમિની સૂત્રો ફેરફાર કરો

જૈમિની સૂત્રો કે ઉપદેશ સૂત્રો બૃહદપરાશર હોરા શાસ્ત્ર પછી આવતી એક ઐતિહાસીક રચના છે.તેમાં તેમણે વિષ્તુત વર્ણન આપ્યુ^ છે જેના આધારે જ્યોતિષીની નવી શાખા જૈમિની જ્યોતિષની શરૂઆત થઈ. [૩]

અન્યત્ર ઉલ્લેખ ફેરફાર કરો

સામ વેદ ફેરફાર કરો

જ્યારે ઋષિ વેદ વ્યાસએ પ્રાચીન વૈદિક સૂત્રોને તેમના બલિદાનના આધારે ચાર ભાગમાં વિભાજીત કર્યાં, અને તેમને પાના ચાર મુખ્ય શિક્ષણ શાખાઓ રૂપે શીખવ્યાં – પૈલા, વૈસમ્પાયન, જૈમિની અને સુમન્તુ, સામવેદ એ ઋષિ જૈમિનીને સમર્પિત હતું.

"તેમણે વેદોને ચારભાગમઅં વિભાજીત કર્યાં, ઋગ, યજૂર, સામ અને અથર્વ. ઇતિહાસ અને પુરાણ ને પાંચમો વેદ માનવામાં આવે છે."
-- Brahmanda Purana 1.4.21 [૪]

માર્કંડ પુરાણ ફેરફાર કરો

સૌથી પ્રાચીન પુરાણોમાંનું એક માર્કંડ પુરાણ, એ જૈમિની અને માર્કંડેય વચ્ચે વાર્તાલાપ સ્વરૂપે વર્ણવેલું છે. [૫]

સંદર્ભ ફેરફાર કરો

  1. "જૈમિનિના પૂર્વ મિમાંસા સૂત્રો". મૂળ માંથી 2007-06-09 પર સંગ્રહિત. મેળવેલ 2009-04-19.
  2. "મહાભારત". મૂળ માંથી 2011-02-20 પર સંગ્રહિત. મેળવેલ 2009-04-19.
  3. એસ્ટ્રોજ્યોતીમાં જૈમિનિ સૂત્રો
  4. જૈમિનિ અને સામવેદ
  5. "જૈમિનિ અને માર્કંડેય". મૂળ માંથી 2013-06-12 પર સંગ્રહિત. મેળવેલ 2009-04-19.

બાહ્ય કડીઓ ફેરફાર કરો