જોગેશ્વરી ગુફાઓ

જોગેશ્વરી, મુંબઇમાં આવેલી ગુફાઓ

જોગેશ્વરીની ગુફાઓ એ પ્રાચીન હિંદુ અને બૌદ્ધ ધર્મના ગુફા મંદિરો છે. જે મુંબઈમાં જોગેશ્વરીમાં આવેલ છે. આ ગુફાઓ ઈ.સ. ૫૨૦ થી ૫૫૦ ની છે. ઈતિહાસકાર અને વિદ્વાન વોલટર સ્પિંક ના મત અનુસાર જોગેશ્વરીની ગુફાઓ ભારતમાં આવેલી જુનામાં જુનાં અને મોટામાં મોટાં હિંદુ ગુફા મંદિરો છે.[૧]

જોગેશ્વરી ગુફાઓ
જોગેશ્વરીની ગુફાનો અંદરનો ભાગ
સ્થાનજોગેશ્વરી (પૂર્વ), મુંબઈ
અક્ષાંશ-રેખાંશ19°08′21″N 72°51′24″E / 19.1391°N 72.8568°E / 19.1391; 72.8568
સમુદ્ર સપાટીથી ઊંચાઈ15 m (49 ft)
પ્રવેશદ્વાર
કઠિનતાસરળ

આ ગુફાઓ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેની બાજુમાં આવેલી છે, આ વિસ્તાર દબાણથી ઘેરાયેલો છે અને તેનો મંદિર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. આ ગુફાઓ તેની ભયજનક સ્થિતીના કારણે લુપ્ત થઈ રહી છે અને ચામાચીડિયાંઓથી ભરાયેલી છે.

કોતરોથી ભરાયેલ આ ગુફાઓમાં લાંબી સીડીઓ વડે મુખ્ય ખંડમાં પ્રવેશી શકાય છે. તેમાં ઘણાં સ્તંભો અને અંતમાં લિંગ આવેલ છે. આ ગુફાઓની દિવાલોમાં દત્તાત્રેય, હનુમાન, ગણેશજીની મૂર્તિઓ કોતરેલી છે. ત્યાં બે ચોકીદારો પણ છે. આ ગુફાઓમાં જોગેશ્વરી (યોગેશ્વરી) ની મૂર્તિ અને પગલાંઓ આવેલા છે, જેનાં પરથી આ વિસ્તારનું નામ પડેલ છે. જોગેશ્વરીને કેટલાક મરાઠી લોકોની કુળદેવી ગણાય છે. વેપાર માટે ગુજરાતથી આવેલા લોકો પણ આ દેવીને પૂજે છે.

છબીઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. Walter M. Spink; University of Michigan. Center for South and Southeast Asian Studies (૧૯૬૭). Ajanta to Ellora. Marg Publications. મેળવેલ ૧૯ એપ્રિલ ૨૦૧૨.

બાહ્ય કડીઓ ફેરફાર કરો