નિરંજન રાજ્યગુરુ

ગુજરાતી લોકસાહિત્ય સંશોધક, લેખક

ડો. નિરંજન રાજ્યગુરુ (૨૪ ડિસેમ્બર ૧૯૫૪) ગુજરાતી લોકસાહિત્યકાર, ભજનિક, કવિ, વિવેચક, સંશોધક, લેખક અને પારંપરીક કળાઓના વિદ્વાન છે. એ સ્થાનિક રેડીઓ અને ટેલિવિઝન પર આ વિષયોને લગતા કાર્યક્રમ પણ આપે છે. એમણે ઇ.સ. ૧૯૯૧માં ઘોઘાવદર ગામમાં સત નિર્વાણ ફાઊન્ડેશન ના નેજા તળે આનંદ આશ્રમ નામની સંસ્થા સ્થાપી છે.

નિરંજન રાજ્યગુરુ ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત પુરસ્કાર અર્પણ સમારોહ સમયે; ૨૭ જૂન ૨૦૧૯

તેમણે દાસી જીવણના ભજનો પર પીએચ.ડી. કર્યું છે.

સંશોધન/વિવેચન ફેરફાર કરો

  • ભજન મીમાંસા
  • રંગ શરદની રાતડી
  • સંતવાણીનું સત્વ અને સૌંદર્ય
  • બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના
  • મૂળદાસજીનાં કાવ્યો
  • પ્રેમસખી પ્રેમાનંદનાં શ્રેષ્ઠ પદો
  • સંધ્યા સુમિરન
  • આનંદનું ઝરણું
  • સંતની સરવાણી
  • સૌરાષ્ટ્રનું સંત સાહિત્ય

બાહ્ય કડીઓ ફેરફાર કરો