ઘોઘાવદર (તા. ગોંડલ)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ઘોઘાવદર (તા. ગોંડલ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા ગોંડલ તાલુકામાં આવેલું એક ગામ છે. ઘોઘાવદર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ઘોઘાવદર
—  ગામ  —
ઘોઘાવદરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°57′40″N 70°48′12″E / 21.96118°N 70.803452°E / 21.96118; 70.803452
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો રાજકોટ
તાલુકો ગોંડલ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન, બાંધકામ
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, મગફળી, તલ,
બાજરી, ચણા, કપાસ, દિવેલા,
રજકો તેમજ અન્ય શાકભાજી

તાલુકા મથક ગોંડલથી આટકોટ તરફ જતા રાજ્ય ધોરી માર્ગ પર ૭ કિલોમીટર જેટલા અંતરે ઘોઘાવદર ગામ આવેલું છે. આ ગામમાં પ્રખ્યાત ભજનિક દાસી જીવણનો જન્મ થયો હતો. આ ગામમાં આનંદ આશ્રમ નામની સંસ્થા છે જેના સ્થાપક નિરંજનભાઈ વલ્લભભાઈ રાજ્યગુરુ છે. આનંદ આશ્રમ સંસ્થા સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતના સંત સાહિત્ય, લોકવિદ્યાઓની તમામ શાખાઓ, લોકસાહિત્ય, ચારણી-ડિંગળી સાહિત્ય, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, વિવિધ સંત પરંપરાઓ, તેમના સિધ્ધાંતો, વિવિધ સાધના - ઉપાસના પધ્ધતિઓ અને સંતવાણીની મૂળ પરંપરાઓ વિશે પ્રમાણભૂત સંશોધન, અધ્યયન, સંપાદન, પ્રકાશન અને પ્રસાર કરે છે.