તિલોત્તમા (અપ્સરા)

હિન્દુ દંતકથા મુજબ અએક અપ્સરા

તિલોત્તમા (સંસ્કૃત: तिलोत्तमा) સ્વર્ગની એક અપ્સરા (અવકાશી પરી) છે, જેનું વર્ણન હિન્દુ પૌરાણિક કથાઓમાં કરવામાં આવ્યું છે.

તિલોત્તમા
તિલોત્તમા
તિલોત્તમાનું તૈલચિત્ર રાજા રવિ વર્મા દ્વારા નિર્મિત
જોડાણોઅપ્સરા
રહેઠાણસ્વર્ગ

"તિલ" એ નાના કણ માટે સંસ્કૃત શબ્દ છે અને "ઉત્તમ" નો અર્થ પરમ થાય છે. તેથી તિલોત્તમાનો અર્થ એ છે કે જેનો સૌથી નાનો કણ પણ શ્રેષ્ઠ છે અથવા જે શ્રેષ્ઠ અને ઉચ્ચતમ ગુણોથી બનેલું છે.[૧]

તિલોત્તમા કશ્યપ અને અરિષ્ટાની કન્યા હતી, જે જન્મે બ્રાહમણી હતી, જેને અયોગ્ય સમયે સ્નાન કરવાના અપરાધમાં અપ્સરા થવાનો શાપ મળ્યો હતો. બીજી-દંતકથા અનુસાર કુબ્જા નામની મહિલાએ તપશ્ચર્યા દ્વારા વૈકુંઠ પદ પ્રાપ્ત કર્યું. એક દંતકથામાં કદરૂપી વિધવા તરીકે પૂર્વજન્મની વાત કરવામાં આવી છે, જ્યારે અન્ય એક કથા વર્ણવે છે કે કેવી રીતે તેને દુર્વાસા ઋષિ દ્વારા દૈત્ય રાજકુમારી ઉષા તરીકે જન્મ લેવાનો શ્રાપ આપવામાં આવ્યો હતો.

દંતકથા ફેરફાર કરો

સુન્દ અને ઉપસુન્દનું મૃત્યુ ફેરફાર કરો

મહાકાવ્ય મહાભારતના આદિ પર્વમાં, દેવ ઋષિ નારદ પાંડવ ભાઈઓને અપ્સરા તિલોત્તમાને કારણે અસુર ભાઈઓ સુન્દ અને ઉપસુન્દના વિનાશની કથા કહે છે અને પાંડવોને ચેતવણી આપે છે કે તેમની પત્ની દ્રૌપદી તેમની વચ્ચે ઝઘડાનું કારણ બની શકે છે. કથામાં કહેવામાં આવ્યું છે કે સુન્દ અને ઉપસુન્દ એ અસુર નિકુંભના પુત્રો હતા. તેમને અવિભાજ્ય ભાઈઓ તરીકે વર્ણવવામાં આવે છે, જેઓ રાજ્ય, પલંગ, ખોરાક, ઘર, એક બેઠક બધું જ વહેંચતા હતા. એક વખત આ ભાઈઓ વિંધ્ય પર્વત પર કઠોર તપસ્યા કરતા હતા, જેનાથી સર્જક-દેવતા બ્રહ્માને તેમને વરદાન આપવાની ફરજ પડી હતી. તેઓએ મહાન શક્તિ અને અમરત્વની માંગ કરી, પરંતુ તેમની માંગને નકારી કાઢવામાં આવી, તેના બદલે, બ્રહ્માએ તેમને વરદાન આપ્યું કે તેમને પરસ્પર એકબીજા સિવાય કોઈ પણ નુકસાન પહોંચાડી શકશે નહિ. થોડા જ સમયમાં અસુરોએ સ્વર્ગ પર આક્રમણ કર્યું અને દેવોને હાંકી કાઢ્યા. સમગ્ર બ્રહ્માંડ પર વિજય મેળવીને અસુરોએ ઋષિમુનિઓને હેરાન કરવાનું અને બ્રહ્માંડમાં વિનાશ સર્જવાનું શરૂ કર્યું.[૨] આ સમયે સુન્દ અને ઉપસુન્દનો અત્યાચાર મોટા પ્રમાણમાં વધી ગયો હતો તેથી તેમનો સંહાર કરવા માટે બ્રહ્માજીએ વિશ્વકર્માને એક સુંદર સ્ત્રીનું સર્જન કરવાનો આદેશ આપ્યો. વિશ્વકર્માએ વિશ્વની ઉત્તમ વસ્તુઓમાંથી તલ-તલ જેટલી સુંદરતા લઇને આ અપૂર્વ સુંદરીની રચના કરી. રત્નકણોમાંથી પેદા થઈ હોવાથી બ્રહ્માએ તેનું નામ તિલોત્તમા પાડ્યું અને તેને અસુર ભાઈઓને એ હદે લલચાવવાનો નિર્દેશ આપ્યો હતો કે તે તેમની વચ્ચે વિવાદનો મુદ્દો બની જશે.[૨]

 
તિલોત્તમાને મેળવવા માટે અંદરોઅંદર લડતા રાક્ષસો - સુન્દ અને ઉપસુન્દ

સુન્દ અને ઉપસુન્દ વિંધ્ય પર્વતમાં નદીકિનારે દારૂ પીવામાં અને સ્ત્રીઓ સાથે ભોગવિલાસમાં મશગૂલ હતા, ત્યારે ત્યાં તિલોત્તમા તેમને ફૂલો તોડતી દેખાઈ. તેની કામુક દેહયષ્ટિથી પ્રભાવિત થઈને અને સત્તા અને શરાબના નશામાં ધૂત સુન્દ અને ઉપસુન્દે અનુક્રમે તિલોત્તમાના જમણા અને ડાબા હાથ પકડી લીધા. બંને ભાઈઓએ દલીલ કરી હતી કે તિલોત્તમા તેમની પત્ની હોવી જોઈએ. તેને જોતાં જ બંને રાક્ષસો તેને મેળવવા માટે અંદરોઅંદર લડવા લાગ્યા અને બંને એક બીજા દ્વારા માર્યા ગયા. દેવોએ તિલોત્તમાને અભિનંદન આપ્યા અને બ્રહ્માએ તેને વરદાન તરીકે બ્રહ્માંડમાં મુક્તપણે ફરવાનો અધિકાર આપ્યો. બ્રહ્માએ એમ પણ ફરમાન કર્યું હતું કે તેના તેજ અને ચમકને કારણે કોઈ પણ લાંબા સમય સુધી તેની સામે જોઈ શકશે નહીં.[૨]

દેવોની જાદુગરણી ફેરફાર કરો

મહાભારત (આદિ પર્વ)માં વર્ણન કરવામાં આવ્યું છે : તિલોત્તમાના સૌંદર્યથી બ્રહ્મા પર કોઈ અસર થઈ ન હતી, તેમ છતાં અન્ય દેવો તેના સૌંદર્યથી મંત્રમુગ્ધ થઈ ગયા હતા. શરૂઆતમાં, શિવ અને ઇન્દ્ર જરા પણ વિચલિત ન થયા,[૨][૩] જો કે, મહાન દેવ શિવની તેણીને જોવાની ઇચ્છા એટલી બધી હતી કે, તેઓની બંને બાજુ અને તેમના માથાના પાછળના ભાગમાં એક માથું વિકસિત થયું હતું, કારણ કે તેણીએ આદરના ચિહ્ન તરીકે તેમની પરિક્રમા કરી હતી. સ્વર્ગના રાજા ઇન્દ્રના શરીર પર તિલોત્તમાને જોવા માટે હજારો લાલ આંખો ઊગી નીકળી હતી.[૨][૪] અન્ય એક દંતકથામાં ગૌતમ ઋષિએ પોતાની પત્ની અહલ્યાને લલચાવવા બદલ ઇન્દ્રને શાપ આપ્યો હોવાનું વર્ણન કર્યું છે. ગૌતમે આદેશ આપ્યો કે ઇન્દ્રના શરીર પર એક હજાર સ્ત્રી જનનાંગો વિકસિત થશે, પરંતુ એકવાર જ્યારે ઇન્દ્રની નજર તિલોત્તમા પર પડે છે ત્યારે તે જનનાંગો હજારો આંખોમાં બદલાઈ જાય છે.[૫]

મહાભારતની અન્ય એક વાર્તામાં જણાવવામાં આવ્યું છે કે તિલોત્તમા શિવને લલચાવવા આવે છે. જ્યારે તેણીએ તેમની પરિક્રમા કરી ત્યારે તેને જોવા માટે ઉત્સુક, શિવે ચાર દૃશ્યમાન ચહેરાઓ વિકસાવ્યા, અન્ય એક અર્થઘટન કહે છે કે શિવે તિલોત્તમા સમક્ષ તેમના પાંચ ચહેરાઓ (૪ દૃશ્યમાન, ૧ અદૃશ્ય) સહિત પાંચ બ્રાહ્મણો તરીકે પ્રગટ કર્યા. પૂર્વ મુખ વિશ્વ પરની તેની સાર્વભૌમત્વનો સંકેત આપે છે, ઉત્તરનું મુખ પાર્વતી સાથે, પશ્ચિમનું મુખ પ્રાણીઓના સુખની ખાતરી કરવા માટે; દક્ષિણનું મુખ, બ્રહ્માંડનો નાશ કરવા માટે અને પાંચમો ચહેરો અદૃશ્ય હતો કારણ કે તે તિલોત્તમાની સમજની બહાર હતો.[૩][૬][૭] પુરાણોની બીજી દંતકથા કહે છે કે બ્રહ્માએ તિલોત્તમની રચના કરી હતી અને તેણી દ્વારા ઉત્તેજિત થઈ તેણીને જોવા માટે તે પાંચ માથાં બનાવે છે અને પછી તેણીને શિવના નિવાસસ્થાન કૈલાસ પર્વત પર તેણીની પૂજા કરવા મોકલે છે. શિવ તેની તરફ નજર નાખે છે પરંતુ તેની પત્ની પાર્વતી તેની બાજુમાં બેઠેલી હોવાથી તેણીને કાળજીપૂર્વક જોવાનું ટાળે છે. તિલોત્તમાએ શિવની પરિક્રમા કરી ત્યારે તેને જોવા માટે તે દરેક દિશામાં એક માથું વિકસાવે છે. દેવ ઋષિ નારદ પાર્વતીને ટોણો મારે છે, "તમે કલ્પના કરી શકો છો કે આ સ્ત્રી વિશે શિવ શું વિચારે છે, જેને શાણા પુરુષો દ્વારા તિરસ્કૃત કરવામાં આવે છે". ઉશ્કેરાઈને પાર્વતીએ શિવની આંખોને પોતાના હાથોથી ઢાંકી દીધી અને બ્રહ્માંડને અંધકારમાં ડુબાડી દીધું. ત્યારબાદ શિવ બ્રહ્માંડમાં પ્રકાશ લાવવા માટે ત્રીજા નેત્રનો વિકાસ કરે છે.[૫]

રાજા સહસ્ત્રનિકાને શ્રાપ ફેરફાર કરો

પહેલી-બીજી સદીના પૈશાચી લખાણ બૃહતકથાનું ૧૧મી સદીનું સંસ્કૃત ભાષાન્તર કથાસરિત્સાગર કહે છે કે કેવી રીતે રાજા સહસ્ત્રનિકાને તિલોત્તમાએ શાપ આપ્યો હતો. જ્યારે રાજા ઇન્દ્રલોકથી પોતાના રાજ્યમાં પાછા ફરી રહ્યા હતા, ત્યારે તિલોત્તમાએ તેમને રાહ જોવાનું કહ્યું જેથી તે એક રસપ્રદ હકીકત જણાવી શકે, પરંતુ રાજાએ તેની પ્રેમિકા - અપ્સરા અલંબુસાના વિચારોમાં મગ્ન થઈને તિલોત્તમાએ જે કહ્યું તેની અવગણના કરી. રાજાના વર્તનથી ગુસ્સે ભરાયેલી, તિલોત્તમાએ રાજાને શ્રાપ આપ્યો કે તે જેના વિશે વિચારી રહ્યો છે તેનાથી ચૌદ વર્ષના સમયગાળા માટે અલગ થવાનું સહન કરશે.[૮]

પૂર્વજન્મ અને પુનર્જન્મ ફેરફાર કરો

પદ્મ પુરાણમાં વર્ણન કરવામાં આવ્યું છે કે તિલોત્તમા તેના પૂર્વ જન્મમાં કુબ્જા નામની કદરૂપી વિધવા હતી. કુબ્જાએ આઠ વર્ષ સુધી શુભ વિધિઓ કરી અને આખરે ધાર્મિક વિધિ માઘ પૂજા કરી. આનાથી એ સુનિશ્ચિત થયું કે તેનો પુનર્જન્મ તિલોત્તમા તરીકે થશે અને તે સ્વર્ગમાં અપ્સરા તરીકે સ્થાન પામશે.[૯]

બ્રહ્મ વૈવર્ત પુરાણમાં વર્ણન કરવામાં આવ્યું છે કે બાલીના પૌત્ર સહસિકાએ તિલોત્તમા સાથેના તેના વિલાસમાં દુર્વાસા ઋષિની તપસ્યાને ખલેલ પહોંચાડી હતી. પરિણામે ઋષિએ તેને ગધેડો બનાવી દીધો અને તિલોત્તમાને શ્રાપ આપ્યો કે તે અસુર બાણાસુરની પુત્રી ઉષા તરીકે જન્મે. ઉષા પાછળથી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધની પત્ની બનવાની હતી.[૧૦]

બાહ્ય કડી ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. www.wisdomlib.org (2019-01-28). "Story of Tilottamā". www.wisdomlib.org (અંગ્રેજીમાં). મેળવેલ 2022-09-09.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ Buitenen, Johannes Adrianus Bernardus (1978). The Mahābhārata. vol 1 University of Chicago Press Adi Parva (Book of Beginnings) Cantos 201-204. pp. 392-8
  3. ૩.૦ ૩.૧ Collins, Charles Dillard (1 January 1988). The Iconography and Ritual of Siva at Elephanta: On Life, Illumination, and Being. SUNY Press. ISBN 9780887067747 – Google Books વડે.
  4. "The Mahabharata, Book 1: Adi Parva: Rajya-labha Parva: Section CCXIII". www.sacred-texts.com.
  5. ૫.૦ ૫.૧ O'Flaherty, Wendy Doniger (1981). Śiva, the erotic ascetic. Oxford University Press US. પૃષ્ઠ 84–6, 294–5.
  6. Of The Saivism, Volume 1 By Swami P. Anand, Swami Parmeshwaranand p. 116
  7. "The Mahabharata, Book 13: Anusasana Parva: Section CXLI". www.sacred-texts.com.
  8. Manohar Laxman Varadpande. History of Indian theatre. 3. Abhinav Publications. પૃષ્ઠ 115.
  9. Williams, George Mason (2003). Handbook of Hindu mythology. ABC-CLIO. પૃષ્ઠ 282.
  10. Wilson, H H (September–December 1833). "Analysis of the Puranas: Brahma Vaiverita". The Asiatic Journal and Monthly Register for British and Foreign India, China, and Australia. XII: 232.