દિગંબર (/dɪˈɡʌmbərə/) જૈન ધર્મના બે મુખ્ય પંથોમાંનો એક છે. દિગંબર શબ્દ બે સંસ્કૃત શબ્દો: દિક (દિશા) અને અંબર (આકાશ) વડે બનેલો છે, જે આકાશની ચારે દિશા વડે ધારણ કરેલ વસ્ત્રો ધરાવતા વ્યક્તિનું સૂચન કરે છે. દિગંબર સાધુઓ વસ્ત્ર પહેરતા નથી. તેઓ મોરપીંછ વડે બનેલ ઝાડુ, લાકડાનું કમંડળ અને શાસ્ત્ર ધારણ કરે છે. કુંદ કુંદ આચાર્ય દિગંબર પરંપરાના જાણીતા સાધુ છે. તેમણે જાણીતા પાકૃત ગ્રંથોનું સર્જન કર્યું છે. અન્ય જાણીતા સાધુઓમાં વિરસેન, સામંતભદ્ર અને સિદ્ધસેન દિવાકરનો સમાવેશ થાય છે.

આચાર્ય કુંદ કુંદ

ઇતિહાસ ફેરફાર કરો

હડપ્પીય સંસ્કૃતિમાંથી કાયોત્સર્ગ, પદ્માસન તેમજ નગ્ન મુદ્રાઓ દર્શાવતા અવશેષો મળી આવ્યા છે, જે દિગંબર પરંપરાના વ્યાપનો ખ્યાલ આપે છે.[૧] ઇ.સ. પૂર્વે ૪થી સદીના ગ્રીક સંસ્કૃતિમાંથી મળી આવેલા અવશેષો પણ આ પરંપરા સદીઓ જૂની છે એવો ખ્યાલ આપે છે.[૨]

પુરાતત્વીય પુરાવાઓ પ્રમાણે જૈન સાધુઓએ ધીમે-ધીમે સંપૂર્ણ વસ્ત્ર ત્યાગથી વસ્ત્રો પહેરવાનું શરૂ કર્યું તેમ જણાય છે. મથુરામાં મળી આવેલી તીર્થંકરની મૂર્તિ સંપૂર્ણપણે વસ્ત્રવિહિન છે. તીર્થંકરની વસ્ત્ર પહેરેલી જૂનામાં જૂની મૂર્તિ ઇ.સ. ૫મી સદીની જ છે.[૩] ગુપ્ત સમયની દિગંબર મૂર્તિઓ અર્ધખૂલ્લી આંખો ધરાવે છે.[૪]

નોંધ ફેરફાર કરો

સ્ત્રોતો ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો