બનારસ ખાતે અસ્સી રોડથી થોડા અંતરે આનંદ બાગ નજીક દુર્ગા કુંડ નામનું સ્થળ છે. અહીં આદ્ય શક્તિ દુર્ગાજીનું મંદિર પણ છે. આ મંદિર અને કુંડનું નિર્માણ ૧૮મી સદીમાં બંગાળની મહારાણીએ કરાવ્યું હતું. આ કુંડ પહેલાં ગંગા નદી ના પ્રવાહ સાથે જોડાયેલ હતો. માનવામાં આવે છે કે અહીં દેવી માતાની મૂર્તિ સ્વયંભૂ પગટ થઈ હતી.[૧]

દુર્ગા કુંડ, વારાણસી

નવરાત્રી, શ્રાવણ અને મંગળવાર અને શનિવારના દિવસોમાં આ મંદિરમાં ભક્તોની ખૂબ ભીડ રહે છે. આ કુંડ નજીક રામ ચરિત માનસના રચયિતા ગોસ્વામી તુલસીદાસજી દ્વારા સ્થાપિત હનુમાનનું સંકટમોચન મંદિર છે.

સંદર્ભો ફેરફાર કરો

  1. "દુર્ગા મંદિર". વારાણસી શહેર જાળસ્થળ. મેળવેલ ૧ માર્ચ ૨૦૧૫. no-break space character in |access-date= at position 35 (મદદ); Check date values in: |access-date= (મદદ)