નજર બાગ મહેલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા વડોદરા જિલ્લા તેમ જ વડોદરા તાલુકાના મુખ્ય મથક તેમ જ આઝાદી પહેલાંના સમયના ગાયકવાડી શાસનના મુખ્ય મથક એવા વડોદરા શહેરમાં માંડવી દરવાજા પાસે આવેલ જુનામાં જુનો ગાયકવાડી મહેલ છે. ૧૯ મી સદીમાં મલ્હાર રાવ ગાયકવાડ દ્વારા આ મહેલનું ર્નિમાણ થયું હતું. આ મહેલ આજે જર્જરિત થઇ ગયો છે.