બાવચી કે આવચી-બાવચી (વૈજ્ઞાનિક નામ: Psoralea corylifolia; સંસ્કૃત: बाकुची, सोमराजी, सोमवल्लिका; હિંદી: बकुची, सोमराजी; બંગાળી: হাকুচ, সোমরাজ; અંગ્રેજી: malaya tea) એ આયુર્વેદ અને તમિલ સિદ્ધ ઔષધ પ્રણાલીમાં વપરાતી એક અગત્યની ઔષધી છે. ચીની ઔષધીમાં પણ તે વપરાય છે. ગુજરાતીમાં આવચી-બાવચી તરીકે પણ ઓળખાતી આ વનસ્પતીનાં બીજ તેના ઔષધિય ગુણધર્મને કારણે આયુર્વેદ, સિદ્ધ અને ચીની ઔષધશાસ્ત્રમાં વપરાય છે. તેના બીજ સોરેલીન જેવા અનેક 'કૌમારિન ધરાવે છે. બાવચીના છોડ બે હાથ ઊંચા વધે છે. એનાં પાંદડાં સાધારણ નાનાં હોય છે. એ છોડ ઉપર કાળા રંગનાં મરી કરતાં પણ બારીક બિયાં આવે છે. તેનું તેલ દવામાં ઉપયોગી છે. બાવચી શરીરે ચોપડી સ્નાન કરવાથી ખરજનો નાશ થતો મનાય છે. બાવચી કડવી, પાકકાળે તીખી, ઉષ્ણ, રસાયન, મધુર, રુચિપ્રદ, રૂક્ષ, હૃદ્ય, અગ્નિદીપન, બલકર, તૂરી, લઘુ તથા મેધ્ય છે અને કૃમિ, કોઢ, કફ, ત્વગ્દોષ, વિષ, કંડૂ, રક્તપિત્ત, શ્વાસ, કાસ, મેહ, જ્વર, વ્રણ, ત્રિદોષ તથા વાયુનો નાશ કરનાર ગણાય છે. [૧] એક મત પ્રમાણે બાવચીના બીજને તકમરિયાં કહેવામાં આવે છે.[૨]

બાવચી
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): સપુષ્પી
(unranked): દ્વિદળી
(unranked): રોઝિડ્સ
Order: ફેબેલ્સ
Family: ફેબેસી
Genus: સોરેલિયા (Psoralea)
Species: કોરિલિફોલિયા (P. corylifolia)
દ્વિનામી નામ
સોરેલિયા કોરિલિફોલિયા (Psoralea corylifolia)
લિનિયસ (L.)

ઉપયોગીતા ફેરફાર કરો

ચીની ઔષધીઓમાં પણ બાવચીનો ઉપયોગ થાય છે. ચીની ભાષામાં તેને બુ ગુ ઝિ તરીકે ઓળખવામાં આવે છે અને તેનો ઉપયોગ મૂત્રપિંડને સમારવામાં થાય છે. ચીની ઔષધશાસ્ત્રમાં યિન અને યાંગ એ બે મૂળભુત તત્વો છે (જેમ આયુર્વેદમાં વાત, પિત્ત અને કફ છે). બાવચી મૂત્રપિંડના યાંગને કાબુમાં રાખવા માટે વપરાય છે. તેના દ્વારા ભાંગી ગયેલા હાડકા (ફ્રેક્ચર), કમરના અને ઘુંટણના દુખાવા, નપુંસકતા, પથારીમાં પેશાબ, ખરતા વાળ અને કોઢ જેવી સમસ્યાઓનું નિદાન થાય છે.[૩]

સુકા તખમરીયા
આહારનું પોષણ મુલ્ય પ્રતિ 100 g (3.5 oz)
શક્તિ2,034 kJ (486 kcal)
કાર્બોદિત પદાર્થો
42.12 g
રેષા34.4 g
30.74 g
સંતૃપ્ત ચરબી3.330
મોનોસેચ્યુરેટેડ2.309
પોલીસેચ્યુરેટેડ23.665
16.54 g
વિટામિનો
વિટામિન એ
(7%)
54 μg
થાયામીન (બી)
(54%)
0.62 mg
રીબોફ્લેવીન (બી)
(14%)
0.17 mg
નાયેસીન (બી)
(59%)
8.83 mg
ફૉલેટ (બી)
(12%)
49 μg
વિટામિન સી
(2%)
1.6 mg
વિટામિન ઇ
(3%)
0.5 mg
મિનરલ
કેલ્શિયમ
(63%)
631 mg
લોહતત્વ
(59%)
7.72 mg
મેગ્નેશિયમ
(94%)
335 mg
મેંગેનીઝ
(130%)
2.723 mg
ફોસ્ફરસ
(123%)
860 mg
પોટેશિયમ
(9%)
407 mg
સોડિયમ
(1%)
16 mg
જસત
(48%)
4.58 mg

  • એકમો
  • μg = માઇક્રોગ્રામ • mg = મિલિગ્રામ
  • IU = આંતરરાષ્ટ્રિય એકમો
ટકાવારી અમેરિકા‍ ‍(USA)ના સંદર્ભમાં પુખ્ત વયના વ્યક્તિ માટે ભલામણ પર આધારિત છે.
સ્ત્રોત: USDA Nutrient Database

ઔષધશાસ્ત્ર ફેરફાર કરો

બાવચીનાં ફળનો અર્ક પ્રાયોગિક વાતાવરણમાં નોરેપિનેફ્રિન-ડોપામાઇન રિઅપટેક અવરોધક (norepinephrine-dopamine reuptake inhibitor) તરિકે વર્તતા હોવાનું સાબિત થયું છે.[૪]

બાવચીનાં બીજનો અર્ક પ્રયોગશાળામાં અંત:રસજાળ સંકુલ ૧ને અવરોધતો જોવા મળ્યો છે જેના પરથી તેમ માનવામાં આવે છે કે તે ઓક્સિડેટિવ તણાવ સામે ટકી રહેવામાં મદદરૂપ હશે.[૫]

બાવચીને કારણે યકૃત પર થયેલી આડઅસરનો એક કિસ્સો જાણીતો છે, જેમાં ૬૪ વર્ષની એક સ્ત્રીએ પોતાને થયેલા કોઢના નિવારણ માટે અનેક પ્રકારની આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કર્યો હતો. આ સંશોધનપત્રના લેખકનું માનવું છે કે બાવચીમાં રહેલા સોરેલિન દ્રવ્ય જ તેના યકૃત પર થય્લી ઝેરી અસર માટે પ્રાથમિક રીતે જવાબદાર હતું.[૬]

રાસાયણિક દ્રવ્યો ફેરફાર કરો

બાવચીના અર્કમાં અનેક રાસાયણિક દ્રવ્યો રહેલા છે, જેમકે ફ્લેવેનોઇડ્સ (neobavaisoflavone, isobavachalcone, bavachalcone, bavachinin, bavachin, corylin, corylifol, corylifolin અને 6-prenylnaringenin), કૌમારિન્સ (સોરેલિડિન, સોરેલિન, આઇસોસોરેલિન અને એન્જેલિસિન) અને મેરોટર્પિન્સ (બાકુચિઓલ અને ૩-હાઇડ્રોક્સીબાકુચીઓલ).[૭]

બાકુચીના પર્ણમાં જેનિસ્ટિન નામના દ્રવ્યનું ઘણું ઊંચું પ્રમાણ મળી આવ્યું છે.[૮]

સંદર્ભ ફેરફાર કરો

  1. ગોંડલનરેશ શ્રી ભગવતસિંહજી. "બાવચી". ભગવદ્ગોમંડલ. www.bhagvadgomandal.com. મેળવેલ ૦૪ મે૨૦૧૫. Check date values in: |access-date= (મદદ)
  2. શાસ્ત્રી, કેશવરામ કા. (૧૯૮૨). વનૌષધિકોશ. વડોદરા: પ્રાચ્યવિદ્યા મન્દિર, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય. પૃષ્ઠ ૮૯. CS1 maint: discouraged parameter (link)
  3. Cheng, Xia (2001). Easy Comprehension of Traditional Chinese Medicine: Chinese Materia Medica, Canadian Institute of Traditional Chinese Medicine, p343.
  4. Zhao G, Li S, Qin GW, Fei J, Guo LH (2007). "Inhibitive effects of Fructus Psoraleae extract on dopamine transporter and noradrenaline transporter". J Ethnopharmacol. 112 (3): 498–506. doi:10.1016/j.jep.2007.04.013. PMID 17555897.CS1 maint: multiple names: authors list (link)
  5. Tang SY, Gruber J, Wong KP, Halliwell B (April 2007). "Psoralea corylifolia L. inhibits mitochondrial complex I and proteasome activities in SH-SY5Y cells". Annals of the New York Academy of Sciences. 1100: 486–96. doi:10.1196/annals.1395.053. PMID 17460213.CS1 maint: multiple names: authors list (link)
  6. Teschke, R; Bahre, R (2009). "Severe hepatotoxicity by Indian Ayurvedic herbal products: A structured causality assessment". Annals of hepatology. 8 (3): 258–66. PMID 19841509.
  7. Zhao LH, Huang CY, Shan Z, Xiang BG, Mei LH (2005). "Fingerprint analysis of Psoralea corylifolia by HLPC and LC-MS". J Chromatogr B. 821: 67–74. doi:10.1016/j.jchromb.2005.04.008.CS1 maint: multiple names: authors list (link)
  8. Kaufman, PB; Duke, JA; Brielmann, H; Boik, J; Hoyt, JE (1997). "A comparative survey of leguminous plants as sources of the isoflavones, genistein and daidzein: Implications for human nutrition and health". Journal of alternative and complementary medicine. 3 (1): 7–12. doi:10.1089/acm.1997.3.7. PMID 9395689.