ભારતની વિદેશ નીતિ ભારત દેશના બંધારણમાં આપેલા માર્ગદર્શક સિદ્ધાંતો તેમ જ દેશના સાંદર્ભિક, ભૌગોલિક અને સાંસ્કૃતિક પરિબળો મુજબ ઘડી કાઢવામાં આવેલી છે.

ભારતની વિદેશ નીતિના પાયાના સિદ્ધાંતો આ પ્રમાણે છે.

  • વિશ્વશાંતિ અને સહઅસ્તિત્વ
  • સામ્રાજ્યવાદ તથા સંસ્થાનવાદનો વિરોધ
  • રંગભેદ તથા જાતિભેદનો વિરોધ
  • એશિયા અને આફ્રિકાના દેશો સાથે ગાઢ સહકાર
  • નિ:શસ્ત્રીકરણ
  • બિનજોડાણની નીતિ
  • પંચશીલના સિદ્ધાંતો