મહામસ્તકાભિષેક જૈન પ્રતિમાઓ ની મોટા પાયા પર કરવામાં આવતી ધાર્મિક વિધી છે. જેને અભિષેક(વિલેપન) તરીકે પણ ઓળખવામાં આવે છે.આમાં ભારતના કર્ણાટકના શ્રવણબેલાગોલામાં સ્થિત બાહુબલી ગોમટેશ્વર પ્રતિમાનો અભિષેક સૌથી પ્રખ્યાત છે. દર ૧૨ વર્ષે એકવાર આયોજિત થતો આ એક મહત્વપૂર્ણ જૈન તહેવાર છે. તે પ્રાચીન અને સંયુક્ત જૈન પરંપરાનો અભિન્ન ભાગ છે. આ તહેવારમાં સિદ્ધ બાહુબલીની 17.4 metres (57 ft) ઊંચી એક અખંડ પત્થરમાંથી બનેલ મૂર્તિનો અભિષેક કરવામાં આવે છે. પ્રતિમાનો છેલ્લો અભિષેક ફેબ્રુઆરી ૨૦૧૮ માં થયો હતો, અને આગામી સમારોહ ૨૦૩૦ માં યોજાનાર છે. [૧] ઈ.સ.૨૦૧૮ માં થયેલો અભિષેક, ૯૮૧થી શરૂ થયેલ શ્રેણીમાં ૮૮મો અભિષેક હતો. ૨૧મી સદીનો આ બીજો મહામસ્તકાભિષેક છે. આ સમારંભમાં અસંખ્ય જૈન તપસ્વીઓ દ્વારા અનુષ્ઠાન કરાય એવી અપેક્ષા છે. ફેબ્રુઆરી ૨૦૧૮ નો પ્રસંગ જે ૧૭ થી ૨૫ ફેબ્રુઆરી દરમિયાન યોજાયો તે શ્રવણબેલાગોડાના ચારુકીર્તિ ભટ્ટારકા સ્વામીજીના નેતૃત્વમાં યોજાયો હતો.

મહામસ્તકાભિષેક
ગોમટેશ્વર નો મસ્તકાભિષેક
બીજું નામભાષાંતર:ગોમટેશ્વર નો મહા મસ્તકાભિષેક
ઉજવવામાં આવે છેજૈનનો
પ્રકારધાર્મિક
મહત્વગોમટેશ્વર પ્રતિમા ની પૂર્ણાહૂતિ
ઉજવણીઓગોમટેશ્વર નો મસ્તકાભિષેક દુધ, કેશર, શેરડી નો રસ, ચંદનલેપ, ચોખ નો લોટ, ફુલો વગેરેથી કરવામાં આવે છે.
ધાર્મિક ઉજવણીઓપ્રાર્થનાઓ,જૈન વિધી
તારીખચન્દ્ર, સુર્ય આધારીત જૈન પંચાગ દ્વારા નક્કી કરાય છે.
આવૃત્તિદર ૧૨ વર્ષે
ઓગસ્ટ ૨૦૧૮માં થયેલ ગોમટેશ્વર પ્રતિમા નો મહામસ્તકાભિષેક

ગોમટેશ્વર બાહુબલી પ્રતિમાનો અભિષેક ફેરફાર કરો

ભગવાન બહુબલિ એ જૈનોના ચોવીસ તિર્થંકરો માં પ્રથમ ભગવાન ઋષભનાથ ના પુત્ર હતા. તેઓ વિભાવના, જન્મ, ત્યાગ, જ્ઞાન અને મોક્ષથી તેમના જીવનના તમામ તબક્કા દરમિયાન દર્શાવાતા અસાધારણ ગુણો સાથે જીવવા માટે પૂજાય છે. આ ૫૮૮ ફૂટ ઊંચી પ્રતિમા પ્રતિમાઓમાં સૌથી ભવ્ય છે. તે આશરે [૨] ઈ.સ.૯૮૩માં માં બાંધવામાં આવી હતી. [૨] બાહુબલીની પ્રતિમાને શિલ્પ કલાના ક્ષેત્રમાં પ્રાચીન કર્ણાટકની સૌથી શક્તિશાળી સિદ્ધિ તરીકે વર્ણવવામાં આવે છે. કાયોત્સર્ગ તરીકે ઓળખાતા ધ્યાનની મુદ્રામાં આ મૂર્તિ સીધી ઊભી છે, વિંધ્યાગિરી પર્વતની ૫૭ફુટ ઊંચાઇએ પહોંચવા - ૫૦૦ પગથિયાં ચડવા પડે છે. [૩]

કાર્યવાહી ફેરફાર કરો

માંચડાઓથી મૂર્તિ ઉપર શુદ્ધ પાણી અને ચંદનની પેસ્ટ રેડવામાં આવે છે. આ ઘટના અઠવાડિયા સુધી ચાલુ રહે છે. મહામસ્તકાભિષેક શરૂ થતાં પવિત્ર પાણી ના ૧૦૦૮ ખાસ તૈયાર વાસણો (કળશ) વહન કરી ભક્તો દ્વારા સહભાગીઓ પર છાંટવામાં આવે છે. ત્યારબાદ પ્રતિમાને સ્નાન કરાવી દૂધ, શેરડીનો રસ અને કેસરના લેપ જેવા અભિવાદનથી અભિષેક કરવામાં આવે છે, અને ચંદન, હળદર અને સિંદૂર પાવડર છાંટવામાં આવે છે. [૪]અર્ધ્ય પાંદડીઓ, સોના અને ચાંદીના સિક્કા અને કિંમતી પથ્થરોથી બનાવવામાં આવે છે. તાજેતરમાં, સમારોહના અંતમાં પ્રતીક્ષા હેલિકોપ્ટરમાંથી ફૂલો વરસાવવામાં આવે છે. [૫]

અન્ય મહામસ્તકાભિષેકો ફેરફાર કરો

શ્રવણ બેલ્ગોડામાં ગોમટેશ્વર મૂર્તિના અભિષેક ઉપરાંત, જૈન મૂર્તિઓના અભિષેક ભારતભરના જૈન મંદિરોમાં થાય છે. [૬] કર્ણાટકની અન્ય ગોમટેશ્વર મૂર્તિઓનો અભિષેક પણ દર ૧૨ વર્ષે મહામસ્તકાભીષેક ઉત્સવથી સન્માનિત થાય છે.  [ સંદર્ભ આપો ]

[ વધુ સારું સ્ત્રોત જરૂરી ]

  • કુંભોજ મહામસ્તકાભીષેક - છેલ્લો મહામસ્તકાભીષેક વર્ષ ૨૦૧૫ માં યોજાયો હતો, અને આગામી ૨૦૨૭ માં થશે. [ સંદર્ભ આપો ][ સંદર્ભ આપો ]
  • જૈન વિધિ અને તહેવારો
  • પંચ કલ્યાણક
  • કર્ણાટકમાં જૈન ધર્મ

સંદર્ભ ફેરફાર કરો

  1. Correspondent, TNN (8 February 2006). "Mahamastakabhisheka of Bahubali begins today". The Times of India. મૂળ માંથી 26 જાન્યુઆરી 2013 પર સંગ્રહિત. મેળવેલ 19 December 2012.
  2. ૨.૦ ૨.૧ Zimmer 1953.
  3. Muni Kshamāsāgara 2006.
  4. Kumar, Brajesh (2003), Pilgrimage Centres of India, Diamond Pocket Books (P) Ltd., ISBN 9788171821853, https://books.google.com/books?id=Qqei_Wo1qXwC 
  5. Sangave.
  6. Drivedi, Rakesh Narayan. राही मासूम रज़ा और उनके औपन्याससक पात्र. પૃષ્ઠ 65.
  7. "Karkala Mahamastakabhisheka 2014". મૂળ માંથી 2019-04-02 પર સંગ્રહિત. મેળવેલ 2020-12-06.
  8. "Venur Mahamastakabhisheka 2012". મૂળ માંથી 18 February 2013 પર સંગ્રહિત. મેળવેલ 2012-01-27.

બાહ્ય લિંક્સ ફેરફાર કરો