માર્ટિન લ્યૂથર કિંગ
ડૉ. માર્ટિન લ્યૂથર કિંગ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના સામાજીક કાર્યકર અને ચળવળકાર હતા.
માર્ટિન લ્યૂથર કિંગ | |
---|---|
King în 1964 | |
જન્મ | ૧૫ જાન્યુઆરી ૧૯૨૯ એટલાન્ટા |
મૃત્યુ | ૪ એપ્રિલ ૧૯૬૮ મેમ્ફિસ |
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | લેખક, pastor, રાજકારણી |
સંસ્થા | |
જીવન સાથી | Coretta Scott King |
પુરસ્કારો | |
વેબસાઇટ | https://thekingcenter.org |
સહી | |
જીવન ફેરફાર કરો
તેમનો જન્મ ૧૫ જાન્યુઆરી ૧૯૨૯ના રોજ થયો હતો. નાનપણથી જ તેમણે કાળાગોરાના ભેદ જોયા હતાં આગળ જતાં તેમણે દાર્શનિક થોરોનો નિબંધ વાંચ્યો અને ગાંધીજીના જીવન વિશેના વિચારો સાંભળીને તેઓ એટલા પ્રભાવિત થયા કે એમના જ માર્ગે આગળ વધવાનું નક્કી કર્યું. તેમણે અમેરિકામાં રહેતા કાળા લોકો (હબસીઓ)ના હક્કો માટે લડત ચલાવી. ગાંધીજીની દાંડીયાત્રામાંથી પ્રેરણા લઈને તેમણે 'વોશિંગ્ટન કૂચ' અને 'મોંટગોમરી કૂચ' કરી. તેમણે કરેલા કાર્યોને કારણે તેમને ‘અમેરિકાના ગાંધી’નું બિરુદ મળ્યું. ઇ.સ.૧૯૬૪માં તેમને શાંતિ માટેનું નોબેલ પારિતોષિક પણ મળ્યું.
ઇસ. ૧૯૬૮માં ૩૯ વર્ષની વર્ષની ઉંમરે એક ગોરાએ એમની હત્યા કરી.
આ વ્યક્તિ વિશેનો લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |