રઘુવીરજી મહારાજ
રઘુવીરજી મહારાજ સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ દેશ ગાદીના આદિ આચાર્ય હતા, જેમની નિયુક્તિ ભગવાન સ્વામિનારાયણે કરી હતી. તેઓ ભગવાન સ્વામિનારાયણના નાનાભાઈ ઈચ્છારામના ચોથા પુત્ર હતા. તેમનો જન્મ ઈ.સ. ૧૮ર૬ ઉત્તરપ્રદેશમાં આંબલિયા નામના ગામમાં થયો હતો.[૧] નાનપણથી એમણે સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો. સ્વામિનારાયણે સંપ્રદાયનું સંચાલન કરવાનું કામ તેમને સોંપ્યું હતું.[૨]
રઘુવીરજી મહારાજ | |
---|---|
અંગત | |
જન્મ | રઘુવીર પાંડે ૨૫ મે ૧૮૦૯ (ફાગણ વદ ચોથ, વિ.સ. ૧૮૬૮) |
મૃત્યુ | ૧૮મી ફેબ્રુઆરી, ૧૮૬૮ |
પંથ | સ્વામીનારાયણ સંપ્રદાય |
સન્માનો | આદિ આચાર્ય |
રઘુવીરજીએ એ ભરૂચ, સુરત, કરાળી, માણાવદર વગેરે ગામોમાં મંદિરો બંધાવ્યા હતા. તેઓ પ્રતિદિન સ્વાધ્યાય પાછળ સારો એવો સમય વ્યતીત કરતા. તેઓએ “હરિવાક્યસુધાસિન્ધુ” પર “સેતુમાલાટીકા” અને “દુર્ગપુરમાહાત્મ્ય” નામના સંસ્કૃત ગ્રંથોની રચના કરી છે.
૩૦ વર્ષ આચાર્ય પદ સંભાળ્યા બાદ તેમણે ભગવદ્પ્રસાદજી ને પોતાની ગાદી ઉપર બેસાડી તેઓ ગુણાતીતાનંદ સ્વામી પાસે સત્સંગ કરવા જતાં રહેલા.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "H.H. 1008 Shree Acharya Shree Raghuvirji Maharaj". Swaminarayan Vadtal Gadi - SVG (અંગ્રેજીમાં). 2012-12-12. મેળવેલ 2023-07-01.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ "Acharya Shree Raghuvirji Maharaj - (આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ)". Swaminarayan Vadtal Gadi - SVG (અંગ્રેજીમાં). 2021-03-30. મેળવેલ 2023-07-02.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ)