રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠ, તિરુપતી

રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠ, આંધ્ર પ્રદેશના તિરુપતિમાં સ્થિત ભારતની એક નામાંકિત વિશ્વવિદ્યાલય છે. તે વિશેષરુપે પારંપરિક શાસ્ત્રાધ્યયનનું મુખ્ય કેન્દ્ર છે. આ વિશ્વવિદ્યાલયની સ્થાપના અનુદાન આયોગના અનુભાગ ૩, અધિનિયમ ૧૯૫૦ને આધીન ઊચ્ચ શિક્ષા અને સંશોધનના હેતુથી કરવામાં આવી હતી.

ઇતિહાસ ફેરફાર કરો

ભારત સરકાર દ્વારા રચાયેલા કેન્દ્રીય સંસ્કૃત આયોગ દ્વારા પારંપારિક સંસ્કૃત અને આધુનિક શૈલી પર શોધ અને પ્રચાર-પ્રસાર માટે ૧૯૫૦માં તિરુપતીમાં કેન્દ્રીય સંસ્કૃત વિદ્યાપીઠ અને તેના સંચાલન માટે કેન્દ્રીય સંસ્કૃત વિદ્યાપીઠ, તિરુપતિ સોસાયટી નામે એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. આ વિશ્વવિદ્યાલયનો શિલાન્યાસ ૪ જાન્યુઆરી ૧૯૬૨ના ભારતના તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના હસ્તે કરાયો હતો.

બાહ્ય કડીઓ ફેરફાર કરો