રેણુકા તળાવ, હિમાચલ પ્રદેશ

હિમાચલ પ્રદેશ, ભારત નુ સરોવર

રેણુકા તળાવભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલા સિરમૌર જિલ્લામાં આવેલ એક જળાશય છે. આ જળાશય દરિયાઈ સપાટી થી ૬૭૨ મીટર જેટલી ઊંંચાઈ પર આવેલું છે.[૧] ૩,૨૧૪ મીટર જેટલી પરિમિતિ ધરાવતું આ જળાશય હિમાચલ પ્રદેશનાં મોટાં જળાશયો પૈકીનું એક ગણાય છે. આ સ્થળનું નામ રેણુકાદેવીના નામ પર થી પડ્યું છે. આ સ્થળ સડક માર્ગ વડે જોડાયેલ હોવાથી સહેલાઈથી પંહોચી શકાય છે.

રેણુકા તળાવ
રેણુકા તળાવમાં વનસ્પતિ

આ જળાશય ખાતે પર્યટકો માટે નૌકા-વિહારની સવલત પણ છે. આ ઉપરાંત પર્યટકો માટે અહીં પ્રાણી સંગ્રહાલય તેમ જ જંગલ સફારી જેવાં આકર્ષણો પણ હાજર છે. અહીં દર વર્ષે નવેમ્બર મહિનામાં મેળો ભરાય છે.

અંતર સારણી ફેરફાર કરો

  • પરવાનુ થી અંતર: ૧૨૩ કિલોમીટર
  • પનોતા સાહિબ (વાયા સતુવાન) થી અંતર: ૫૧ કિલોમીટર
  • નાહન થી અંતર: ૩૮ કિલોમીટર[૨]

સંદર્ભો ફેરફાર કરો

  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2015-04-29 પર સંગ્રહિત. મેળવેલ 2015-05-21.
  2. "himachaltourism.gov.in". મૂળ માંથી 2010-03-24 પર સંગ્રહિત. મેળવેલ 2021-10-01.

બાહ્ય કડીઓ ફેરફાર કરો