વાઇકોમ સત્યાગ્રહ

ત્રાવણકોર સામ્રાજ્યમાં આવેલા વાયકોમ મંદિરના પ્રતિબંધિત જાહેર વાતાવરણમાં પ્રવેશ માટે અહિંસક આ

વાઇકોમ સત્યાગ્રહ, એ ૩૦ માર્ચ, ૧૯૨૪થી ૨૩ નવેમ્બર, ૧૯૨૫ સુધી, ત્રાવણકોર સામ્રાજ્યમાં આવેલા વાઇકોમ મંદિરના પ્રતિબંધિત જાહેર વાતાવરણમાં પ્રવેશ માટે અહિંસક આંદોલન હતું. ત્રાવણકોરનું રાજ્ય તેની કઠોર અને દમનકારી જાતિ પ્રણાલી માટે જાણીતું હતું.[૧][૨][૩][૪][૫][૬] કોંગ્રેસના નેતાઓ ટી.કે.માધવન, કે.કેલપ્પન, કે.પી. કેસાવા મેનન, જ્યોર્જ જોસેફ,[૭][૮] ઇ.વી.રામાસામી "પેરિયાર"ની આગેવાની હેઠળની આ ઝુંબેશ[૯][૧૦] વિવિધ સમુદાયો અને વિવિધ કાર્યકરો દ્વારા આપવામાં આવેલા સક્રિય સમર્થન અને સહભાગિતા માટે જાણીતી છે.[૪]

વાઇકોમ સત્યાગ્રહ
વાઇકોમ સત્યાગ્રહના નેતાઓ, જેમાં ટી. કે. માધવન ( બેઠેલા : વચલી હરોળ, છબી પ્રમાણે છેલ્લી હરોળમાં) કે. કુમાર (ટી.કે.માધવન : દાઢીવાળા, પાછલી હરોળમાં છેલ્લા ક્રમે ઊભેલા) કે. પી. કેસાવા મેનન (બેઠેલા, ત્રીજા ક્રમે) અને અમાચડી થેવન
સમયગાળો૩૦ માર્ચ, ૧૯૨૪થી ૨૩ નવેમ્બર, ૧૯૨૫
સ્થાનવાઇકોમ મંદિર, ત્રાવણકોર
પ્રકારસત્યાગ્રહ
હેતુસાર્વજનિક પ્રવેશ
સંચાલક
  • ટી.કે. માધવન
  • કે. કેલપ્પન
  • કે.પી. કેશવ મેનન
પરિણામવાઇકોમ મહાદેવ મંદિર તરફ જવાના ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ જાહેર માર્ગો ખોલવામાં આવ્યા હતા. દેખાવકારોને મુક્ત કરવામાં આવ્યા હતા.

ત્રાવણકોર રજવાડાના મોટા ભાગના મહાન મંદિરોમાં વર્ષોથી નીચલી જાતિના (અસ્પૃશ્યો)ને માત્ર પ્રવેશવાની જ નહીં, પરંતુ આસપાસના રસ્તાઓ પર ચાલવાની પણ મનાઈ ફરમાવવામાં આવી હતી.[૧૧][૧૨] આ આંદોલનની કલ્પના એઝાવા જાતિ[upper-alpha ૧]ના કોંગ્રેસના નેતા અને શ્રી નારાયણ ગુરુના અનુયાયી ટી. કે. માધવને કરી હતી. તેમાં એઝાવાઓ અને 'અસ્પૃશ્યો'ને વાઇકોમ મંદિરની આસપાસના રસ્તાઓનો ઉપયોગ કરવાના અધિકારની માંગ કરવામાં આવી હતી.[૫] મહાત્મા ગાંધીએ પોતે માર્ચ, ૧૯૨૫માં વાઇકોમની મુલાકાત લીધી હતી.[૪] ત્રાવણકોર સરકારે આખરે નીચલી જાતિના ઉપયોગ માટે મંદિર નજીક નવા રસ્તાઓનું નિર્માણ કર્યું હતું. જો કે, રસ્તાઓએ નીચલી જાતિઓને વાઇકોમ મંદિરના નજીકના વાતાવરણથી પર્યાપ્ત રૂપે દૂર રાખ્યા હતા અને મંદિર નીચલી જાતિના લોકો માટે બંધ રહ્યું હતું.[૪][૫][૧૩][૧૪]

મહાત્મા ગાંધીની દરમિયાનગીરી બાદ, રિજન્ટ (રાજ્યાધિકારી) સેતુ લક્ષ્મીબાઈ સાથે સમાધાન થયું હતું, જેમણે ધરપકડ કરાયેલા તમામ લોકોને મુક્ત કર્યા હતા અને તમામ જાતિઓ માટે વાઇકોમ મહાદેવ મંદિર તરફ જતા ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ જાહેર માર્ગો ખોલ્યા હતા. સેતુ લક્ષ્મીબાઈએ પૂર્વીય રસ્તો ખોલવાની ના પાડી દીધી. આ સમાધાનની ઇ. વી. રામાસામી "પેરિયાર" અને અન્ય કેટલાક લોકોએ ટીકા કરી હતી. માત્ર ૧૯૩૬માં, મંદિર પ્રવેશની ઘોષણા પછી, પૂર્વીય રસ્તા સુધી પહોંચવાની અને નીચલી જાતિના લોકોને મંદિરમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવી હતી.[૧૫][૪][૫] વાઇકોમ સત્યાગ્રહે કેરળમાં અહિંસક જાહેર વિરોધની પદ્ધતિ આણી હતી.[૫]

પૃષ્ઠભૂમિ ફેરફાર કરો

 
કોટ્ટાયમ, કેરળ શહેરમાં વાઇકોમ રામાસામીની પ્રતિમા
  • એઝાવા નેતા ટી. કે. માધવને ડિસેમ્બર, ૧૯૧૭માં દેશાભિમાની અખબારના તંત્રીલેખમાં નીચલી જ્ઞાતિઓના મંદિર પ્રવેશનો પ્રશ્ન સૌ પ્રથમ વાર ઉઠાવ્યો હતો.[૬] નીચલી જાતિના મંદિર પ્રવેશ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને ૧૯૧૭ થી ૧૯૨૦ દરમિયાન શ્રી નારાયણ ધર્મ પરિપાલન યોગમ અને ત્રાવણકોર વિધાનસભાની બેઠકોમાં ઠરાવો રજૂ કરવામાં આવ્યા હતા.[૬] ૧૯૧૯માં લગભગ ૫,૦૦૦ એઝાવાઓની એક સભાએ ત્રાવણકોર સરકાર દ્વારા સંચાલિત તમામ હિન્દુ મંદિરોમાં પ્રવેશવાના અધિકારની માગણી કરી હતી.[૧૩]
  • નવેમ્બર, ૧૯૨૦માં ટી. કે. માધવન વાઇકોમ મંદિર પાસેના રસ્તા પર આવેલા નિયમનકારી નોટિસ બોર્ડની પેલે પાર ચાલ્યા ગયા. બાદમાં તેમણે જાહેરમાં જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાની અવગણનાની જાહેરાત કરી હતી.[૬] માધવનની ત્યાર પછીની ત્રાવણકોરમાં યોજાયેલી મંદિર-પ્રવેશ સભાઓએ સવર્ણ હિન્દુઓ તરફથી પ્રતિ-આંદોલનોની ઉશ્કેરણી કરી હતી.[૧૩]
  • ટી. કે. માધવને સપ્ટેમ્બર ૧૯૨૧માં તિરુનેલવેલીમાં મહાત્મા ગાંધી સાથે મુલાકાત કરી અને તેમને કેરળમાં એઝાવાની દુર્દશા વિશે માહિતી આપી.[૧૬] શરૂઆતમાં ગાંધી રાજ્યમાં સમુદાયની સ્થિતિથી અજાણ હોવા છતાં, આંદોલન માટે પોતાનો ટેકો જાહેર કર્યો હતો ("જો કાયદો હસ્તક્ષેપ કરે તો તમારે મંદિરોમાં અને કોર્ટમાં કારાવાસમાં પ્રવેશ કરવો જ જોઇએ").[૬]
  • કાકીના ખાતે ૧૯૨૩માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, જેમાં પક્ષની 'અસ્પૃશ્યતા નિવારણ' માટે કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.[૧૬] આ ઠરાવ ટી.કે.માધવને રજૂ કર્યો હતો.[૧૬][૧૩] ઠરાવમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે 'મંદિર પ્રવેશ એ તમામ હિન્દુઓનો જન્મસિદ્ધ અધિકાર છે'.[૧૩]
  • જાન્યુઆરી ૧૯૨૪માં, કોંગ્રેસના નેતા કે.કેલપ્પને કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિની અંદર 'અસ્પૃશ્યતા વિરોધી સમિતિ'ની બેઠક બોલાવી હતી.[૧૩][૬] કેલપ્પને બાદમાં મલબાર જિલ્લાના કોંગ્રેસી નેતાઓની ટુકડી સાથે દક્ષિણ કેરળનો પ્રવાસ કર્યો હતો.[૧૩] માધવન નાણાં, કોંગ્રેસનું સમર્થન અને સત્યાગ્રહ માટે અખિલ ભારતીય ધ્યાન ખેંચવામાં સફળ રહ્યા હતા.[૧૬][૧૭] શ્રી નારાયણ ધર્મ પરિપાલન યોગમે પણ આંદોલનને મંજૂરી આપી હતી.[૧૭]

આંદોલન ફેરફાર કરો

 
વાઇકોમ સત્યાગ્રહ દરમિયાન એક વિરોધ કૂચ

કેરળના અન્ય મહાન મંદિરોની જેમ વાઇકોમ શિવમંદિરે પણ વર્ષોથી નીચલી જાતિઓ અને અસ્પૃશ્યોને માત્ર પ્રવેશવાની જ નહીં, પરંતુ આસપાસના રસ્તાઓ પર ચાલવાની પણ મનાઈ ફરમાવી હતી.[૬]

૩૦ માર્ચ ૧૯૨૪ના રોજ, એક નાયર, એક પુલાયા અને એક એઝાવા કાર્યકર્તાએ તેમની પાછળ બીજા હજારો લોકો સાથે વાઇકોમ મંદિરના રસ્તાઓ પર ચાલવાનો પ્રયાસ કર્યો. ત્રણેયની ત્રાવણકોર પોલીસે ધરપકડ કરી હતી.[૧૩][૬] આ જ કૃત્યનું પુનરાવર્તન કરતા વધુ કોંગ્રેસી કાર્યકરોની પોલીસે ૧૦મી એપ્રિલ સુધી ધરપકડ કરી હતી.[૧૩] પકડાયેલા લોકોમાં કે. પી. કેસાવા મેનન, ટી. કે. માધવન અને કે. કેલપ્પનનો સમાવેશ થતો હતો.[૧૩][૫][૬] જે અન્ય નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને દોષિત ઠેરવવામાં આવ્યા હતા તેમાં ટી.આર.ક્રિષ્ના સ્વામી અય્યર,[૧૮] કે.કુમાર,[૧૯][૨૦][૨૧] એ.કે.પિલ્લાઇ,[૨૨] ચિત્તેઝાથુ સાંકુ પિલ્લઇ, બેરિસ્ટર જ્યોર્જ જોસેફ, ઇવી રામાસ્વામી નાઇકર, જેઓ પેરિયાર તરીકે પણ ઓળખાય છે, ઐય્યામુથુ ગૌદર અને કે.વેલાયુધા મેનનનો સમાવેશ થાય છે.[૨૧]

પ્રદર્શનકારીઓ દરરોજ ત્રાવણકોર પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓને અટકાવવા માટેના બેરિકેડ્સ તરફ કૂચ કરતા હતા. તેઓએ રસ્તો બંધ કરી દીધો, મંદિરના ચારે પ્રવેશદ્વારો પર પોલીસ ટુકડી સામે બેસીને દેશભક્તિના ગીતો ગાતા. ત્યાર બાદ આ અભિયાનમાં કાર્યકરોએ જાહેર ઉપવાસ કર્યા હતા.[૫][૬] આ સમયગાળા દરમિયાન, કેટલાક સવર્ણ હિન્દુઓએ વિરોધીઓ પર ગુંડાઓ દ્વારા હુમલાઓને ઉત્તેજન આપ્યું હતું.[૬]

  • વાઇકોમ ખાતેની ઘટનાઓએ સમગ્ર ભારતનું ધ્યાન ખેંચ્યું હતું. કોંગ્રેસના નેતા સી. રાજગોપાલાચારી અને ઇ. વી. રામાસામી "પેરિયાર" કે જેઓ તે સમયે કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા, તેઓ વાઇકોમ પહોંચ્યા હતા અને કાર્યકરોને સલાહ આપી હતી.[૬] ત્યારબાદ નાયર જ્ઞાતિના કોંગ્રેસના મોટા ભાગના અગ્રણી નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી અને ખ્રિસ્તી (કોંગ્રેસ નેતા) જ્યોર્જ જોસેફે આંદોલનનો હવાલો સંભાળી લીધો હતો.[૧૩]
 
૧૯૨૪ના વાઇકોમ સત્યાગ્રહમાં શીખ અકાલીઓની તસવીર. માતૃભૂમિ દૈનિકમાં પુનઃમુદ્રણ.
  • ગાંધીજીના એક નિવેદનથી સ્થાનિક ખ્રિસ્તી નેતાગીરી પૃથક ગઈ હતી, જેમાં ગાંધીજીએ તેમને 'એક હિન્દુ બાબત' (એપ્રિલ, ૧૯૨૪)થી દૂર રહેવાનું કહેવામાં આવ્યું હતું.[૪][૧૩] અમૃતસરથી શીખ અકાલી કાર્યકર્તાઓ પણ સત્યાગ્રહીઓ (એપ્રિલ, ૧૯૨૪) માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા માટે વાઇકોમ પહોંચ્યા હતા.[૧૩] ગાંધીજીએ શીખ રસોડાઓ બંધ કરવાની હાકલ કરી હતી.[૧૩] ઈ. વી. રામાસામી "પેરિયાર", જે તે સમયે કોંગ્રેસ સાથે હતા, તેમણે પણ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો અને તેમને બે વાર જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. [૨૩][૨૪] આ સહભાગિતાને કારણે પેરિયારને "વાઇકોમના હીરો" નું બિરુદ મળ્યું.[૨૫] કેટલાક કટ્ટરપંથી સહભાગીઓ જેમ કે. ઐયપ્પન સામ્યવાદના સ્વરૂપો સાથે સંકળાયેલા હતા.[૨૬]
  • ત્રાવણકોરના રાજા મુલમ થિરુનાલનું મૃત્યુ ઓગસ્ટ, ૧૯૨૪માં થયું હતું.[૧૬] ગાંધીજીની સલાહથી સવર્ણ હિન્દુઓએ (એમ કહીને કે નીચલી જાતિઓના દ્વારા રસ્તાઓનો ઉપયોગ કરવા સામે સવર્ણ હિન્દુઓને કોઈ વાંધો નથી) ત્રાવણકોરના શાસકનું સ્મારક પ્રસ્તુત કરવા માટે વાઇકોમથી ત્રિવેન્દ્રમ સુધી કૂચ કરી (નવેમ્બર, ૧૯૨૪થી શરૂ).[૬][૫] નાયર સમુદાયના નેતા મનનાથ પદ્મનાભ પિલ્લઇએ ૧૯૨૫માં ત્રિવેન્દ્રમ સુધીની બીજી કૂચનું નેતૃત્વ કર્યું હતું.[૨૭] ત્રાવણકોર વિધાન પરિષદમાં એઝાવા લોકોને મંદિર નજીક રસ્તાનો ઉપયોગ કરવાની છૂટ આપવાના ઠરાવને એક મતથી પરાજય આપવામાં આવ્યો હતો (ઓક્ટોબર ૧૯૨૪માં રજૂ કરવામાં આવેલા તમામ સત્તાવાર સભ્યો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો, જેનું મતદાન ફેબ્રુઆરી, ૧૯૨૫માં થયું હતું).[૧૩][૬]

સમાધાન ફેરફાર કરો

 
વાઇકોમ સત્યાગ્રહ દરમિયાન કોચીનમાં ગાંધીજી

આયોજકોને સદ્ભાવનાના તાર મોકલનારા મહાત્મા ગાંધીએ પોતે માર્ચ, ૧૯૨૫માં વાઇકોમની મુલાકાત લીધી હતી.[૪][૧૩] ગાંધીજીએ તમામ પક્ષો (વિરોધીઓ, નામ્બુદિરિ બ્રાહ્મણો, શ્રી નારાયણ ગુરુ અને ત્રાવણકોરની રાણી) સાથે ચર્ચા કરી હતી.[૬][૨૮] ત્યારબાદ આ કાર્યકરો પ્રતિબંધિત રસ્તાઓમાં પ્રવેશ નહીં કરે તેવી સમજથી પોલીસને પાછી ખેંચી લેવામાં આવી હતી.[૬]

  • વાઇકોમ મંદિરની ત્રણ બાજુએ આવેલા (નવનિર્મિત) રસ્તાઓ પર નીચલી જાતિના હિંદુઓના પ્રવેશની મંજૂરીના સમાધાન સાથે વાઇકોમ સત્યાગ્રહનો સુલેહ થયો હતો. હજુ પણ બીજી બાજુ અને મંદિર, નીચલી જ્ઞાતિઓ માટે બંધ રહ્યા (નવેમ્બર, ૧૯૨૫).[૧૬][૨૯] નવા રસ્તાઓએ પણ નીચલી જાતિઓને વાઇકોમ મંદિરના નજીકના વાતાવરણથી પૂરતા પ્રમાણમાં દૂર રાખી હતી.[૪][૫]
  • વાઇકોમ સત્યાગ્રહનું સમાધાન એઝાવા નેતા શ્રી નારાયણ ગુરુને મનાવવામાં નિષ્ફળ ગયું હતું.[૩૦][૧૩] ગુરુ ઇચ્છતા હતા કે કાર્યકરો 'પ્રતિબંધિત રસ્તાઓ પર ચાલે એટલું જ નહીં પરંતુ મંદિરમાં પ્રવેશે'.[૩૦][૧૩] રસ્તા પરના શબ્દે એવો સંકેત આપ્યો હતો કે નારાયણ ગુરુએ 'એસ એન ડી પીની પ્રવૃત્તિઓ' થી પોતાની જાતને દૂર રાખી હતી.[૧૩] તેમણે એઝાવા પત્રકારને કહ્યું હતું કે,[૨૬]

ભારે વરસાદમાં અવરોધોની બહાર ઉભા રહેલા સ્વયંસેવકો કોઈ પણ ઉપયોગી ઉદ્દેશની પૂર્તિ કરતા નથી... તેઓએ બેરિકેડ્સને પાર કરવી જોઈએ અને ફક્ત પ્રતિબંધિત રસ્તાઓ પર ચાલવું જોઈએ જ નહિ પરંતુ તમામ મંદિરોમાં પ્રવેશ કરવો જોઈએ... કોઈના માટે અસ્પૃશ્યતાનું પાલન કરવું વ્યવહારિક રીતે અશક્ય બનાવવું જોઈએ.

— શ્રી નારાયણ ગુરુ (જૂન, ૧૯૨૪)

વિરાસત ફેરફાર કરો

  • વાઇકોમ સત્યાગ્રહે કેરળમાં અહિંસક જાહેર વિરોધપ્રદર્શન શરૂ કર્યું હતું.[૫]
  • આ આંદોલને કેરળમાં કોંગ્રેસ પક્ષનું મનોબળ પુનર્જીવિત કર્યું.[૧૩]
  • ટી. કે. માધવન ૧૯૨૭માં શ્રી નારાયણ ધર્મ પરિપલણ યોગમના જનરલ સેક્રેટરી બન્યા.[૨૭]
  • ત્રાવણકોરમાં મંદિર પ્રવેશની ઘોષણા (૧૯૩૬).[૩૧]

નોંધ ફેરફાર કરો

  1. કેરળની એક જાતિ

સંદર્ભ ફેરફાર કરો

  1. "God's own challenge". The Indian Express. 24 December 2018. મેળવેલ 27 July 2021. CS1 maint: discouraged parameter (link)
  2. N. Vanamamalai; Nā Vān̲amāmalai (1981). Interpretation of Tamil Folk Creations. Dravidian Linguistics Association.
  3. P. Radhakrishnan (2002). India, the Perfidies of Power: A Social Critique. Vedam ebooks. પૃષ્ઠ 245. ISBN 978-81-7936-003-3. મેળવેલ 27 July 2021. CS1 maint: discouraged parameter (link)
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ ૪.૪ ૪.૫ ૪.૬ ૪.૭ Sarkar, Sumit (1989). Modern India: 1885–1947. Palgrave Macmillan. પૃષ્ઠ 229 and 244. ISBN 9781349197125.
  5. ૫.૦૦ ૫.૦૧ ૫.૦૨ ૫.૦૩ ૫.૦૪ ૫.૦૫ ૫.૦૬ ૫.૦૭ ૫.૦૮ ૫.૦૯ Jeffrey, Robin (1992). Politics, Women and Well-Being: How Kerala became 'a Model'. Palgrave Macmillan. પૃષ્ઠ 108 and 118–19. ISBN 978-1-349-12252-3.
  6. ૬.૦૦ ૬.૦૧ ૬.૦૨ ૬.૦૩ ૬.૦૪ ૬.૦૫ ૬.૦૬ ૬.૦૭ ૬.૦૮ ૬.૦૯ ૬.૧૦ ૬.૧૧ ૬.૧૨ ૬.૧૩ ૬.૧૪ ૬.૧૫ Jeffrey, Robin (1976). "Temple-Entry Movement in Travancore, 1860-1940". Social Scientist. 4 (8): 13–16. doi:10.2307/3516377. JSTOR 3516377.
  7. George, Alphons (2014). "THE ROLE OF GEORGE JOSEPH IN THE VAIKOM SATYAGRAHA". Proceedings of the Indian History Congress. Indian History Congress. 75: 569–574. ISSN 2249-1937. JSTOR 44158431. મેળવેલ 25 May 2023.
  8. B.A, Pon Vasanth (30 Mar 2023). "The contribution of an unsung leader, George Joseph, to the Vaikom Satyagraha". The Hindu. મેળવેલ 25 May 2023.
  9. Chandran, Abhilash (14 Mar 2023). "Periyar, the unsung hero who breathed life back into Vaikom Satyagraha". The New Indian Express. મેળવેલ 25 May 2023.
  10. Athiyaman, Pazha. (23 Dec 2019). "Periyar, the hero of Vaikom". The Hindu. મેળવેલ 25 May 2023.
  11. Jeffrey, Robin (1976). "Temple-Entry Movement in Travancore, 1860-1940". Social Scientist. 4 (8): 14. doi:10.2307/3516377. JSTOR 3516377.
  12. Mathew, George (2018). "God's Own Challenge". The Indian Express.
  13. ૧૩.૦૦ ૧૩.૦૧ ૧૩.૦૨ ૧૩.૦૩ ૧૩.૦૪ ૧૩.૦૫ ૧૩.૦૬ ૧૩.૦૭ ૧૩.૦૮ ૧૩.૦૯ ૧૩.૧૦ ૧૩.૧૧ ૧૩.૧૨ ૧૩.૧૩ ૧૩.૧૪ ૧૩.૧૫ ૧૩.૧૬ ૧૩.૧૭ ૧૩.૧૮ ૧૩.૧૯ Menon, Dilip M. (1994). Caste, Nationalism and Communism in South India: Malabar, 1900 - 1948. Cambridge University Press. પૃષ્ઠ 81–82.
  14. Sarkar, Sumit (1989). Modern India: 1885–1947. Palgrave Macmillan. પૃષ્ઠ 229 and 244. ISBN 9781349197125.
  15. Anita Diehl (1977). E. V. Ramaswami Naicker-Periyar: A Study of the Influence of a Personality in Contemporary South India. Esselte studium. પૃષ્ઠ 24. ISBN 978-91-24-27645-4. મેળવેલ 27 July 2021. CS1 maint: discouraged parameter (link)
  16. ૧૬.૦ ૧૬.૧ ૧૬.૨ ૧૬.૩ ૧૬.૪ ૧૬.૫ Jeffrey, Robin (1976). The Decline of Nayar Dominance: Society and Politics in Travancore, 1847 - 1908. Holmes & Meier Publishers. પૃષ્ઠ 328, 258–59.
  17. ૧૭.૦ ૧૭.૧ Jeffrey, Robin (1976). "Temple-Entry Movement in Travancore, 1860-1940". Social Scientist. 4 (8): 17. doi:10.2307/3516377. JSTOR 3516377.
  18. T. R. Krishnaswamy Iyer, http://www.keralaculture.org/historic-heritage-gallery/tr-krishnaswamy-iyer/1085 , Department of Cultural Affairs, Govt of Kerala retrieved on 02 February 2023
  19. Vaikom Sathyagraha Rekhakal: Adv. P. Harikumar -Sahithya Pravarthaka Co-Operative Society Ltd: 2019 : pages 160, 217, 298, 299, 353
  20. Who is Who of Freedom Fighters in Kerala, Regional Records Committee 1975, Government of Kerala : Page/ Entry No 272
  21. ૨૧.૦ ૨૧.૧ The History of Trade Union Movement in Kerala : K. Ramachandran Nair : Kerala Institute of Labour and Employment - 2006: (also available is the e-book version at : https://indianlabourarchives.org retrieved on 30 Jan 2023: page no: 436)
  22. https://ml.m.wikipedia.org/wiki/%E0%B4%8E.%E0%B4%95%E0%B5%86._%E0%B4%AA%E0%B4%BF%E0%B4%B3%E0%B5%8D%E0%B4%B3 , Malayalam : Retrieved 2 February 2023
  23. Kent, David. "Periyar". Atheist Community of Austin. મૂળ માંથી 15 June 2010 પર સંગ્રહિત.
  24. Deihl, Anita (1977). E.V. Ramasamy Naicker-Periyar: A Study of the Influence of a Personality in Contemporary South India. Esselte Studium. પૃષ્ઠ 22–24.
  25. Eugene F. Irschick, Politics and Social Conflict in South India: The Non-Brahmin Movement and Tamil Separatism, 1916–1929 (Berkeley:University of California Press, 1969), pp. 268–69.
  26. ૨૬.૦ ૨૬.૧ Jeffrey, Robin (1976). "Temple-Entry Movement in Travancore, 1860-1940". Social Scientist. 4 (8): 17–18. doi:10.2307/3516377. JSTOR 3516377.
  27. ૨૭.૦ ૨૭.૧ Jeffrey, Robin (1992). Politics, Women and Well-Being: How Kerala became 'a Model'. Palgrave Macmillan. પૃષ્ઠ 104 and 108. ISBN 978-1-349-12252-3.
  28. Mahadev Desai, The Epic of Travancore (Ahmedabad: Navajivan Karyalaya, 1937), pp. 17–21.
  29. M.S.A. Rao, Social Movements and Social Transformation: A Study of Two Backward Classes Movements in India (first published in 1979: reprint New Delhi: Manohar, 1987), p. 66.
  30. ૩૦.૦ ૩૦.૧ Sarkar, Sumit (1989). Modern India: 1885–1947. Palgrave Macmillan. પૃષ્ઠ 244. ISBN 9781349197125.
  31. Jeffrey, Robin (1992). Politics, Women and Well-Being: How Kerala became 'a Model'. Palgrave Macmillan. પૃષ્ઠ xv–xvii. ISBN 978-1-349-12252-3.