====નાગરીક અને રહેંણાક વિસ્તાર તથા ધાર્મિક સ્થાનો====
મુખ્ય મકરપુરા ગામમાં પશ્ચિમમાં શ્રી જીજીમાતાજીનું મંદિર આવેલું છે. તેની નજીક આવેલાં તળાવ થી મકરપુરાનો એક ભાગ શરૂ થાય છે.ત્યાંથી શરૂ કરીએ તો બાજુમાં જ ઘરોની એક હાર છે ત્યાંથી પુર્વમાં આવતાં "ઝુપડપટ્ટિ" તરીકે વધુ જાણીતું૧ નગર આવેલું છે.ત્યારબાદ "બેંક ઓફ બરોડા" ની મકરપુરા ગામની બ્રાંચ તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની ડો.હોમી ભાભા પ્રાથમિક શાળા અને શ્રી લાલ બહાદુર શાસ્ત્રી વિધાલય આવેલી છે. બાજુમાં જ મકરપુરાનો બાગ આવેલ છે. અંદર શ્રી વેરાઈ માતાજી નું મંદિર આવેલું છે. ત્યાં જ તલાટી ની ઓફિસ અને પ્રાથમીક સારવારનું દવાખાનું આવેલ છે. ગામમાં ઉત્તર તરફ જતાં ઉપમુખ્ય બજાર શરૂ થાય છે. અહિંયા જીવન-જરૂરિયાતની વસ્તુઓ તથા અન્ય સામગ્રીઓ ઉપ્લબ્ધ થાય છે. અંદર જઈ પશ્ચિમ તરફ જતાં "ઉંડું ફળિયું આવે છે જેમાં મુખ્ય્ત્વે રાજપુત લોકોની વસ્તી છે , આ વિસ્તારનો એક છેડો તળાવ બાજું ખુલે છે. ફરિથી ઉપ્-બજારમાં આવી આગળ જતાં "રામનાથ મહાદેવ"નું મંદિર આવે છે.આગળ મુખ્ય બજારમાં સાંજે શાકભાજીની દુકાનો લાગે છે. સમગ્ર મકરપુરાનાં અમુક-મુખ્ય સોસાયટી,નગરો વગેરે ની યાદી નિચે મુજબ છે.(ઉપ-મુખ્ય મકરપુરા)