આલ્ફ્રેડ નોબેલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
આલ્ફ્રેડ નોબલ વિષે સામાન્ય માહિતી.
 
નોબલ પારિતોષકની અન્ય માહિતી અપડેટ
લીટી ૧:
વિશ્વભરના બૌદ્ધિકોમાં દર વર્ષે [[નોબૅલ પારિતોષિક|નોબલ પારિતોષક]] કોને મળશે તેની તીવ્ર ઉત્કંઠા રહે છે. [[]] નોબલ પારિતોષક જેના નામથી અપાય છે તે આલ્ફ્રેડ નોબલનો 21 ઓક્ટોબરે જન્મ્યા હતા. સ્વિડનમાં બાલ્ટિક સમુદ્રના કાંઠે આવેલા સ્ટોકહોમમાં તેમનો જન્મ થયો. પિતાના આઠ સંતાનો પૈકી તેઓ ત્રીજા સંતાન હતા. નાનપણથી જ વિસ્ફોટકોમાં રસ ધરાવતા હતા. તેમનું શરૂનું શિક્ષણ સ્ટોકહોમમાં થયું. યુવાવસ્થામાં રસાયણશાસ્ત્ર અને ઈજનેરીના અભ્યાસ માટે ફ્રાન્સ અને અમેરીકામાં રહ્યાં. તેમની મુખ્ય ઓળખ રસાયણશાસ્ત્રી, ઈજનેર, વ્યાપારી અને વિશેષત: દાનવીર તરીકેની છે. નોબલના નામે 355 પેટન્ટ રજીસ્ટર છે. તેમાં સૌપ્રથમ ગન પાવડર બનાવવાની રીત હતી. તે પછી નાઈટ્રો-ગ્લિસરીનનો ઉપયોગ, ડિટોમિટર, બ્લાસ્ટીંગ કેપ અને 1867માં શોધાયેલ ડાઈનેમાઈટ હતું. ડાઈનેમાઈટના નામના પ્રસિદ્ધ વિસ્ફોટકના શોધક આલ્ફ્રેડ વિશ્વમાં ભાવિ સંશોધનો માટે સતત સચેત હતા.  1884માં તેઓ રોયલ સ્વિડીશ એકેડમી ઓફ સાયન્સમાં  સક્રિય સભ્ય તરીકે ચૂંટાયા હતા. ડાયનેમાઇટના શોધક ડો.આલ્ફ્રેડ નોબેલે વૈજ્ઞાનિક શોધો દ્વારા અઢળક કહી શકાય એટલા પ્રમાણમાં ધન પ્રાપ્ત કર્યું હતું. તેમણે કમાયેલા ધનનો વ્યાજબી ઉપયોગ માટે 29 જૂન 1900ના રોજ નોબલ ફાઉન્ડેશનની સ્થાપની થઈ.  તેમની મિલકતના વ્યાજમાંથી સાહિત્ય,વૈદક, ભૌતિક વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, રસાયણ વિજ્ઞાન અને શાંતિ એમ કુલ છ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિવિશેષને દર વર્ષે એક એક કરોડની સ્વિડિશ રાશિનું પારિતોષિક એનાયત કરવામાં આવે છે. ઇ.સ. ૧૯૦૧ના વર્ષથી આ નોબેલ પારિતોષિકો નિયમિતપણે એનાયત કરવામાં આવે છે. વિશ્વ ઈતિહાસમાં નોબલ પુરસ્કારથી મોટો બીજો કોઈ પુરસ્કાર નથી. આલ્ફ્રેડ નોબલનું 10ડિસે. 1896ના રોજ ઈટાલીમાં અવસાન થયું હતું.