શાયલોક વિલિયમ શેક્સપીયરના નાટક મર્ચન્ટ ઓફ વેનિસ (c. ૧૬૦૦) નું એક કાલ્પનિક પાત્ર છે. શાયલોક વેનિસનો એક યહુદી ધીરધાર છે. નાટકના અંતે તેની હાર થાય છે અને તેને ખ્રિસ્તી ધર્મ સ્વિકારતો દર્શાવાયો છે.

શાયલોક, જ્હોન ગિલ્બર્ટના એક ચિત્રમાં (૧૯મી સદી)

શાયલોકનું પાત્રાલેખન બીબાંઢાળ રીતે કરવામાં આવ્યું છે, જેમાં તેને લોભી અને બદલાની વૃત્તિ ઘરાવતો યહૂદી દર્શાવાયો છે. પરંતુ, શેક્સપિયરના સમયમાં ઇંગ્લેન્ડમાં યહૂદીઓ હાજર હતા નહી. યહુદીઓને ઇ.સ. ૧૨૯૦ સુધીમાં એડવર્ડ પહેલાએ હાંકી કાઢ્યા હતા અને આ ક્રમ ક્રોમવેલના સમય સુધી ચાલુ રહ્યો હતો.