શિશિરકુમાર બોઝ

ભારતીય સ્વતંત્રતા સેનાની, બાળરોગ ચિકિત્સક અને ધારાસભ્ય

શિશિર કુમાર બોઝ (૨ ફેબ્રુઆરી ૧૯૨૦ – ૩૦ સપ્ટેમ્બર ૨૦૦૦) એક ભારતીય સ્વતંત્રતા સેનાની, બાળરોગ ચિકિત્સક અને ધારાસભ્ય હતા. તેઓ ભારતીય રાષ્ટ્રવાદી નેતા શરતચંદ્ર બોઝના પુત્ર, ભારતીય સ્વાતંત્ર્ય સેનાની સુભાષચંદ્ર બોઝના ભત્રીજા અને ભૂતપૂર્વ સંસદ સભ્ય કૃષ્ણા બોઝ (૧૯૩૦-૨૦૨૦)ના પતિ હતા.

શિશિરકુમાર બોઝ
જન્મની વિગત(1920-02-02)February 2, 1920
કલકત્તા, ભારત
મૃત્યુSeptember 30, 2000(2000-09-30) (ઉંમર 80)
વ્યવસાયસ્વાતંત્ર્ય સેનાની, બાળરોગ ચિકિત્સક અને ધારાસભ્ય
જીવનસાથીકૃષ્ણા બોઝ

પ્રારંભિક જીવન અને શિક્ષણ ફેરફાર કરો

તેમનો જન્મ ૨ ફેબ્રુઆરી ૧૯૨૦ના રોજ કલકત્તામાં બેરિસ્ટર અને ભારતીય રાષ્ટ્રવાદી નેતા શરતચંદ્ર બોઝ અને બિવાબાતી બોઝ[૧]ને ત્યાં થયો હતો. તેમનું શિક્ષણ કલકત્તા મેડિકલ કોલેજમાં થયું હતું.

ભારતીય સ્વતંત્રતા ચળવળમાં ભૂમિકા ફેરફાર કરો

૧૯૪૧માં, જ્યારે કલકત્તામાં તબીબી વિદ્યાર્થી હતા, ત્યારે તેમણે તેમના કાકા, ભારતીય સ્વતંત્રતા સેનાની સુભાષચંદ્ર બોઝને નજરકેદમાંથી છટકી જવા માટે મદદ કરી હતી.[૧][૨] તેમણે સુભાષચંદ્ર બોઝને કલકત્તાના એલ્ગીન રોડ પરના તેમના પૈતૃક મકાનમાંથી ભાગી જવાની યોજના બનાવવામાં મદદ કરી અને તેમને પડોશી રાજ્ય બિહારના ગોમોહ સુધી ગુપ્ત રીતે ઘરની બહાર દોરી ગયા હતા, જ્યાંથી સુભાષ ટ્રેનમાં પેશાવર ગયા.[૩] ૧૯૪૨માં મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરાયેલ ભારત ભારત છોડો આંદોલન દરમિયાન, શિશિર બોઝ વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન પર પોલીસ હુમલામાં ખરાબ રીતે ઘાયલ થયા હતા અને કલકત્તાની પ્રેસિડેન્સી જેલમાં કેદ થયા હતા અને બાદમાં ૧૯૪૩માં ઘરે નજરકેદ થયા હતા. તેમના કાકાને મદદ કરવા અને ભારતીય સ્વતંત્રતા ચળવળમાં સતત સંડોવણી માટે, શિશિર બોઝને બ્રિટિશ સંસ્થાનવાદી સરકાર દ્વારા ફરીથી ધરપકડ કરવામાં આવી હતી અને દિલ્હીના લાલ કિલ્લા, લાહોર કિલ્લા અને લાયલપુર જેલમાં કેદ કરવામાં આવ્યા હતા, જેમાં બીજા વિશ્વયુદ્ધના અંત સુધી એકાંત કેદમાં રહેવું પણ સામેલ હતું.[૧]

બીજા વિશ્વયુદ્ધના અંતે તેમની મુક્તિ પછી શિશિર બોઝે તેમનો તબીબી અભ્યાસ પૂર્ણ કર્યો અને લંડન, શેફિલ્ડ અને વિયેના[૧]માં બાળરોગની અદ્યતન તાલીમ મેળવી.

બાળરોગ ચિકિત્સક તરીકે કારકિર્દી ફેરફાર કરો

ભારત પરત ફર્યા પછી બોઝે ભારતીય બાળરોગ નિષ્ણાત કે.સી. ચૌધરી સાથે કામ કર્યું, જેમણે ૧૯૫૭માં કલકત્તા ખાતે ભારતની પ્રથમ બાળરોગ હોસ્પિટલ, બાળ આરોગ્ય સંસ્થાની સ્થાપના કરી હતી.[૪] શિશિર હાર્વર્ડ મેડિકલ સ્કૂલ અને બોસ્ટનની ચિલ્ડ્રન્સ હોસ્પિટલ ખાતે રોકફેલર ફેલો હતા અને ઇન્ડિયન પૅડિઆટ્રિક્સ (૧૯૬૪-૬૬)ના પ્રથમ સંપાદક હતા.[૫] [૧] તેઓ ૧૯૭૨ થી ૧૯૯૨ સુધી બાળ આરોગ્ય સંસ્થાના નિર્દેશક પદે[૧] અને પછી ૨૦૦૦માં તેમના મૃત્યુ સુધી પ્રમુખ પદે રહ્યા હતા.

ઐતિહાસિક કાર્ય ફેરફાર કરો

બોઝ ૧૯૫૦ના દાયકાથી તેમના મૃત્યુ સુધી કલકત્તાના એલ્ગીન રોડ પર બોઝ પરિવારના મકાનમાં સ્થિત નેતાજી સંશોધન બ્યુરો, નેતાજી ભવન[૧][૬] ના નિર્દેશક અને બાદમાં અધ્યક્ષ હતા. કુટુંબનું ઘર તેમના પિતા સરતચંદ્ર બોઝે ૧૯૪૬માં સુભાષ ચંદ્ર બોઝના સ્મારક તરીકે લોકોને સમર્પિત કર્યું હતું. શિશિર બોઝે નેતાજી ભવનમાં મ્યુઝિયમ અને આર્કાઇવ્સનું કેટલાક દાયકાઓથી નિર્માણ કર્યું અને ઇતિહાસ, રાજકારણ અને વર્તમાન બાબતો માટે એક સંસ્થાની રચના કરી. વાન્ડેરર કાર કે જેમાં તેમણે તેમના કાકા સુભાષને કલકત્તાના એલ્ગીન રોડ પરના તેમના પૈતૃક મકાનમાંથી છૂપી રીતે ભાગવામાં મદદ કરી હતી તે મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવી છે અને તાજેતરમાં પુનઃસંગ્રહ પછી ભારતના રાષ્ટ્રપતિ દ્વારા તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું.[૭]

રાજકારણ ફેરફાર કરો

૧૯૮૨ થી ૧૯૮૭ સુધી શિશિરે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ માટે પશ્ચિમ બંગાળની વિધાનસભાના સભ્ય તરીકે સેવા આપી હતી, જે કલકત્તામાં ચૌરંઘી મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે.[૧] ૧૯૯૬ થી ૨૦૦૪ સુધી તેમની પત્ની કૃષ્ણા બોઝ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને બાદમાં રાજ્યમાંથી તૃણમૂલ કોંગ્રેસ માટે સંસદ સભ્ય બન્યા હતા.

લેખન ફેરફાર કરો

ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા પ્રકાશિત, સુભાષચંદ્ર બોઝની સંપૂર્ણ રચનાઓનું સંપાદન અથવા સહસંપાદન શિશિર કુમાર બોઝે કર્યું હતું. તેમણે સુભાષચંદ્ર બોઝ, સરતચંદ્ર બોઝ અને ભારતીય સ્વતંત્રતા ચળવળ પરના અન્ય અસંખ્ય પુસ્તકોનું સંપાદન અને સહસંપાદન પણ કર્યું હતું, જેમાં નેતાજી એન્ડ ઇન્ડિયાઝ ફ્રિડમ: પ્રોસેસિંગ ઑફ ધ ઇન્ટરનેશનલ સેમિનાર ૧૯૭૩ (૧૯૭૫), નેતાજી: અ પિક્ટોરિયલ બાયોગ્રાફી (આનંદા પબ્લિશર્સ, ૧૯૭૫, ૧૯૯૫), ધ વોઈસ ઓફ સરતચંદ્ર બોઝ (૧૯૭૯), 'કલેક્ટેડ વર્ક્સ ઑફ સરતચંદ્ર બોઝ ૧૯૪૫-૫૦ અને આઈ વોર્ન્ડ માય કન્ટ્રીમેન, ૧૯૬૮ નો સમાવેશ થાય છે. તેમણે એલેક્ઝાન્ડર વેર્થ અને એસએ આયર (૧૯૭૩) સાથે સુભાષ ચંદ્ર બોઝના જીવનચરિત્ર, એ બીકન એક્રોસ એશિયા (૧૯૭૩) નું સહ-લેખન કર્યું અને સરતચંદ્ર બોઝનું જીવનચરિત્ર રિમેમ્બરિંગ માય ફાધર લખ્યું. સુભાષચંદ્ર બોઝના ભારતમાંથી ભાગી જવાનો તેમનો અહેવાલ આનંદ પબ્લિશર્સ ( મહાનિષ્ક્રમણ, ૧૯૭૫, ૨૦૦૦) દ્વારા બંગાળીમાં અને અંગ્રેજીમાં ધ ગ્રેટ એસ્કેપ (નેતાજી રિસર્ચ બ્યુરો, ૧૯૭૪, ૧૯૯૯) તરીકે પ્રકાશિત થયો હતો. બોઝ પરિવાર વિશેનું લેખન, બોશુબારી આનંદમેળામાં ત્રણ વર્ષ માટે શ્રેણીબદ્ધ કરવામાં આવ્યું હતું અને ૧૯૮૫માં આનંદ પબ્લિશર્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું.

વિરાસત ફેરફાર કરો

તેમના મૃત્યુ પછી કલકત્તામાં નેતાજી ભવનની બાજુમાં આવેલી શેરી, જેમાં તેઓએ તેમના કાકા સુભાષને ભાગી જવા દરમિયાન ઘરમાંથી સલામત રીતે બહાર કાઢવામાં મદદ કરી હતી, તેનું નામ બદલીને શિશિર કુમાર બોઝ સારણી રાખવામાં આવ્યું હતું.[સંદર્ભ આપો]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ ૧.૭ "Indian Pediatrics - a dedication to past editors".
  2. Gordon, Leonard (1989). Brothers Against the Raj: a Biography of Sarat and Subhas Chandra Bose. Viking. પૃષ્ઠ 420–423. ISBN 0-670-82899-8.
  3. "Netaji Research Bureau: The Great Escape". મૂળ માંથી 2021-03-23 પર સંગ્રહિત. મેળવેલ 2022-07-26.
  4. Institute of Child Health
  5. "Where it all began - with Sisir K Bose".
  6. "Netaji Research Bureau, Netaji Bhawan". મૂળ માંથી 2019-04-21 પર સંગ્રહિત. મેળવેલ 2022-07-26.
  7. "President unveils Netaji's escape car after restoration". 2017-01-18.