ભાણદેવ ભારતીય ઉપખંડમાંના પુરાતન તથા સૌથી પ્રચલિત એવા હિંદુ ધર્મના જ્ઞાતા, હિંદુ આધ્યાત્મવિદ્યાના મર્મજ્ઞ અને સંનિષ્ઠ અધ્યાત્મ પુરુષ છે.[૧] ઋગ્વેદથી પ્રારંભીને વર્તમાનકાળ સુધીના હિન્દુ ધર્મનું સ્વરૂપ તેમના ગ્રંથોમાં અભિવ્યક્ત કરાયું છે. ભાણદેવે હિન્દુધર્મના પ્રમાણભૂત ગ્રંથોનું ઊંડુ અધ્યયન કર્યું છે. તેમણે ભારત દેશમાં ખૂબ યાત્રાઓ કરી છે. તેમનો ગ્રંથ "આપણો વહાલો હિન્દુધર્મ"માં તેમણે હિન્દુધર્મનો ઘણો ઊંડો અને વ્યાપક પરિચય આપ્યો છે.

સર્જન ફેરફાર કરો

  • ગંગાસતિનું આધ્યાત્મદર્શન
  • ઋગ્વેદ દર્શન
  • સામવેદ દર્શન
  • અથર્વવેદ દર્શન
  • યજુર્વેદ દર્શન
  • ઉપનિષદની કથાઓ
  • પ્રશ્નોપનિષદ
  • જીવન દર્શન
  • શ્રી શુકદેવ
  • જીવન અને દર્શન
  • હિમાલય દર્શન

સંદર્ભ ફેરફાર કરો

  1. "Bhandev – R R Sheth Books" (અંગ્રેજીમાં). મેળવેલ 2024-02-14.