સામાન્ય જ્ઞાન

કોઈ પણ વિષય વિશે સામાન્ય જાણકારીથી સંબધિત જ્ઞાન

સામાન્ય જ્ઞાન એ વિશાળ વિષયવસ્તુ છે. મનોવિજ્ઞાનની વ્યાખ્યામાં કહીએ તો સામાન્ય જ્ઞાન એટલે સાંસ્કૃતિક મૂલ્યોનું જ્ઞાન હોવું અને તેનો રોજબરોજના જીવનમાં ઉપયોગ કરવો. જેનાથી પરોક્ષ કે પ્રત્યક્ષ માધ્યમ સાથે ગુણવત્તાસભર વાતચીત કરી શકો. તેથી સામાન્ય જ્ઞાનને વિશાળ વિષયવસ્તુમાં સમાવવામાં આવ્યું છે. આ વ્યાખ્યા માર્યદિત ધોરણ મુજબ આપી શકાય છે .

વિશ્વજ્ઞાનકોશ - સામાન્ય જ્ઞાનના પર્યાય તરીકે

સામાન્ય જ્ઞાનને કોઈ ક્ષેત્રની શ્રેષ્ઠ તાલિમ કે મર્યાદિત ભાગની માહિતીના માધ્યમ જોડે સરખાવી શકાય છે, પરંતુ કોઈ ક્ષેત્ર કે વિષયવસ્તુનું અત્યંત વિશિષ્ટ શિક્ષણ હોય તો ત્યાં સામાન્ય જ્ઞાનની વ્યાખ્યા જોડી શકાય નહી. જ્ઞાન એ સુઘડ ગુપ્તતાનો મહત્વનો ઘટક છે અને તે વ્યાપક રીતે સામાન્યા જ્ઞાન સાથે સંકળાયેલો છે તથા થોડેઘણે અંશે અનુભવ અને આત્મવિશ્વાસ સાથે સંકળાયેલો છે. અભ્યાસ પરથી તારણ મળ્યું કે[સંદર્ભ આપો] મોટા ભાગના લોકો પોતાના રસના વિષયમાં અવ્વલ હોય છે, તે જે તે ક્ષેત્રના સામાન્ય જ્ઞાન પર આધાર રાખે છે.

અસંખ્ય અભ્યાસોએ સાબિત કર્યું[સંદર્ભ આપો] કે સ્ત્રીઓ કરતાં કદાચ પુરુષોનું સામાન્ય જ્ઞાન વધારે હોય છે[સંદર્ભ આપો]. આનાથી એમ પણ સિદ્ધ થયું કે સામાન્ય જ્ઞાન યાદશક્તિની ક્ષમતા કરતાં જે તે વિષયના રસ પર વધુ આધાર રાખે છે. આ બાબત જાતિના તફાવતોને કારણે હોય છે. તાજેતરના અભ્યાસ દ્વારા જાણવા મળ્યું કે સામાન્ય જ્ઞાન એ શાળાની પરિક્ષા દરમિયાનના દેખાવ અને હેતુ સિદ્ધ કરવા ઉપયોગમાં લેવાતા કૌશલ્ય સાથે સંકળાયેલું છે[સંદર્ભ આપો].