સામાયિકજૈન ધર્મના અનુયાયીઓ દ્વારા આધ્યાત્મિક ક્ષેત્રે કરવામાં આવતી ચોક્કસ આરાધના કે વ્રત છે. આ ક્રિયા દરમ્યાન ચોક્ક્સ સમય માટે એક સ્થળે સ્થિર બેસી સમતા ભાવમાં મનની એકાગ્રતા કેળવવા અને પાપની પ્રવૃત્તિ ઓથી દૂર રહેવાનો પ્રયત્ન કરવામં આવે છે. આ આરાધનાનો ઓછામા ઓછો સમય બે ઘડી એટલેક્ ૪૮ મિનિટનો હોય છે. આ આરાધના વખતે પુરુષોદ્વરા ખાસ સાદા સફેદ વસ્ત્રો (ચોલપ્ટ્ટો અને પછેડી) પહેરવાનો આગ્રહ હોય છે. કોઈ પણ સંસારી વસ્ત્રો પહેરવાની મનાઈ હોય છે. આ વ્રત લેવા અને મૂકવા અમુક ખાસ સૂત્રોનું ઉચ્ચારણ કરવામાં આવે છે. સામાયિકની ૪૮ મિનિટ દરમ્યાન પાપ ન બંધાય તેવી ધાર્મિક વૃતિ જેમ કે સ્વાધ્યાય, વાંચન , પઠન , મંત્ર જાપ, ધાર્મિક અભ્યાસ જેવી ક્રિયાઓ કરવામાં આવે છે.