અમૃત ઘાયલ
અમૃત ઘાયલ (૧૯૧૬ - ૨૦૦૨) (મૂળ નામ: અમૃતલાલ ભટ્ટ) ગુજરાતી ભાષાના કવિ હતા.
જીવનફેરફાર કરો
તેમનો જન્મ ૧૯ ઓગસ્ટ, ૧૯૧૬ના દિવસે સરધાર, રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાત ખાતે એક બ્રાહ્મણ પરીવારમાં થયો હતો. તેમની માતાનુંં નામ સંતોકબેન અને પિતાનુંં નામ લાલજીભાઈ હતુંં.
તેમણે વતન સરધારમાં જ સાત ધોરણ સુધીનું શિક્ષણ લીધુંં હતુંં. પછી રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી ૧૯૪૯માં મૅટ્રિક પાસ કર્યું હતુ. તે જ વર્ષે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કૉલેજમાં પ્રથમ વર્ષ બી.એ. (બેચલર ઓફ આર્ટસ)નો અભ્યાસ કર્યો. તેઓ ૧૯૩૯થી ૧૯૪૯ સુધી પાજોદ દરબાર ઈમામુદ્દીનખાન મુર્તઝાખાનના રહસ્યમંત્રી રહ્યા હતા. ૧૯૪૯થી ૧૯૭૩ સુધી જાહેર બાંધકામ ખાતામાં વિભાગીય હિસાબનીશ તરીકે ફરજ બજાવી હતી. નિવૃત્તિ બાદ રાજકોટમાં સ્થાયી થયા હતા.
૨૫ ડિસેમ્બર, ૨૦૦૨ના રોજ રાજકોટ ખાતે તેમનું અવસાન થયુંં હતું.
સર્જનફેરફાર કરો
મુલાયમ ભાવોની સરલ અને અસરકારક અભિવ્યક્તિ એમની ગઝલની જાણીતી વિશેષતા છે. જીવન પરત્વેનો સ્વસ્થ અભિગમ એમાં જણાય છે. ભાષાગત કથાયે છોછ વગર હાથવગી તળપદી, કહેવતસ્વરૂપ, રૂઢિપ્રયોગસ્વરૂપની ભાષા, છંદની શુદ્ધતા, રદીફનો નિશ્ચિત અન્ત્યપ્રાસ વગેરેમાં એમની ગઝલનો વૈભવ પ્રગટ થાય છે. મુશાયરાના આ અગ્રણી ગઝલકારની ગઝલની ‘પેશકશ’ અને રજૂઆત લોકપ્રિય નીવડેલી છે.
- શૂળ અને શમણાં (૧૯૫૪)
- રંગ (૧૯૬૦)
- રૂપ (૧૯૬૭)
- ઝાંય (૧૯૮૨)
- અગ્નિ (૧૯૮૨)
- ગઝલ નામે સુખ (૧૯૮૪)
- આઠો જામ ખુમારી
- સુખ