આંતરરાષ્ટ્રીય પરીચારિકા દિવસ

આંતરરાષ્ટ્રીય પરીચારિકા દિવસ (IND), દર વર્ષે મે ૧૨ના રોજ પુરી દુનિયામાં, સમાજ તરફનાં પરીચારિકાઓ (નર્સ બહેનો)નાં કિંમતી યોગદાનની યાદગીરી અને આભાર વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ,'દયાની દેવી' તરીકે પ્રસિદ્ધ થયેલ' બ્રિટિશ પરીચારિકા ફ્લોરેન્સ નાઇટિંગલનાં જન્મદિને ઉજવાય છે.