કરસનદાસ મૂળજી
કરસનદાસ મૂળજી (૨૫ જુલાઈ ૧૮૩૨ - ૨૮ ઓગસ્ટ ૧૮૭૫) ઓગણીસમી સદીના ગુજરાતના પત્રકાર, લેખક અને સમાજ સુધારક હતા.[૧]
કરસનદાસ મૂળજી | |
---|---|
![]() | |
જન્મ | ૨૫ જુલાઇ ૧૮૩૨ ![]() |
મૃત્યુ | ૨૮ ઓગસ્ટ ૧૮૭૧ ![]() |
જીવન ફેરફાર કરો
તેમનો જન્મ ૨૫ જુલાઈ ૧૮૩૨ના રોજ મુંબઈ ખાતે એક કપોળ વ્યાપારી કુટુંબમાં થયો હતો. તેમનું કુટુંબ મૂળ સૌરાષ્ટ્રનું વતની હતું. કરસનદાસે માધ્યમિક કક્ષા સુધી અભ્યાસ કર્યો હતો.[૧] તેમના કુટુંબમાંથી તેમને વિધવા પુન:લગ્ન વિશેના તેમના વિચારોના કારણે બહિષ્કૃત કરવામાં આવ્યા હતા.[૨]
તેઓ સ્થાનિક શાળામાં શિક્ષક બન્યા અને ૧૮૫૫માં સત્યપ્રકાશ નામનું ગુજરાતી સાપ્તાહિક શરૂ કર્યું, જેમાં તેમણે પુષ્ટિમાર્ગ વૈષ્ણવ સંપ્રદાયના મહારાજોના કુકર્મો અને દૂષણો વિશે લખવાનું શરૂ કર્યું. ૧૮૬૨માં તેમના હિંદુઓનો અસલ ધર્મ અને હાલના પાખંડ મતો લેખના કારણે[૩] તેમની વિરુદ્ધ પ્રખ્યાત મહારાજ લાયબલ કેસ મુંબઈ હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય મુદ્દામાં તેમનો વિજય થયો હતો.[૪] તેમણે થોડો સમય સ્ત્રીબોધ નામનું વર્તમાનપત્ર ચલાવ્યું હતું.[૧]
૧૮૬૩માં કપાસના વેપાર સંબંધે ઇંગ્લેન્ડની નિષ્ફળ મુલાકાતથી પાછા ફર્યા બાદ તેમને જ્ઞાતિ બહાર કરવામાં આવ્યા હતા. ૧૮૬૭માં તેમણે બીજી વાર ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો. ૧૮૭૪માં તેમને કાઠિયાવાડના સંચાલક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.[૧][૪]
ગ્રંથો ફેરફાર કરો
તેમણે નીતિવચન, કુટુંબમિત્ર, નિંબધમાળા, ઇંગ્લેન્ડનો પ્રવાસ, વેદધર્મ, મહારાજોનો ઇતિહાસ, શબ્દકોશ, વિધવાવિવાહ વગેરે ગ્રંથો લખ્યા છે.[૧]
મહીપતરામ રૂપરામ નીલકંઠ એ કરસનદાસ મૂળજીનું જીવન ચરિત્ર ૧૮૭૭ માં ઉત્તમ કપોળ કરસનદાસ મૂળજી ચરિત્ર નામે લખ્યું હતું.[૭]
સન્માન ફેરફાર કરો
મહારાષ્ટ્રના માથેરાનમાં તેમના નામ પર એક પુસ્તકાલય કરસનદાસ મૂળજી મ્યુનિસિપલ લાઇબ્રેરી ૧૮૯૭માં સ્થાપવામાં આવ્યું હતું.[૮]
પૂરક વાચન ફેરફાર કરો
- Karsandas Mulji (૧૮૬૫). History of the Sect of Maharajas or Wallabhacharyas of Western India. Trübner.
બાહ્ય કડીઓ ફેરફાર કરો
સંદર્ભ ફેરફાર કરો
- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ શુક્લ, જયકુમાર ર. (૧૯૯૨). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૪ (ક - કૃ) (૧ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૧૪૬.
- ↑ R. L. Raval (૨૦૦૨). Mahipatram. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 22. ISBN 978-81-260-1265-7.
- ↑ મહેતા, મકરંદ; માંકડ, ગિરા (૧૯૯૪). ગુજરાતી વિશ્વકોશ. ૬ (ગ- ઘો) (૧ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૩૭૬.
- ↑ ૪.૦ ૪.૧ એક અથવા વધુ વાક્યો હવે પબ્લિક ડોમેનમાં રહેલા આ પ્રકાશનમાંથી લખાણ ધરાવે છે: ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). "Mulji, Kursendas". એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા. ૧૮ (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ. પૃષ્ઠ ૯૬૦.CS1 maint: ref=harv (link)
- ↑ Scott, J. Barton (૧ માર્ચ ૨૦૧૫). "Luther in the Tropics: Karsandas Mulji and the Colonial "Reformation" of Hinduism". Journal of the American Academy of Religion. ૮૩ (૧): ૧૮૧–૨૦૯. doi:10.1093/jaarel/lfu114. ISSN 0002-7189.
- ↑ Govind Narayan's Mumbai: An Urban Biography from 1863 (અંગ્રેજીમાં). Anthem Press. 2009-02-01. ISBN 9780857286895.
- ↑ India, Government of. "New Library Registration | National Mission on Libraries". www.nmlindia.nic.in. મૂળ માંથી 2017-07-12 પર સંગ્રહિત. મેળવેલ ૭ જૂન ૨૦૧૮.