કલાપીનો કેકારવ

કવિ કલાપીનાં કાવ્યોનો સંગ્રહ

કલાપીનો કેકારવ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ "કલાપી" એ લખેલી કાવ્યરચનાઓનો સંગ્રહ છે, જે ૧૯૦૩માં તેમના મૃત્યુ બાદ મણિશંકર રત્નજી ભટ્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

કલાપીનો કેકારવ
લેખકકલાપી
દેશભારત
ભાષાગુજરાતી
પ્રકારકાવ્યસંગ્રહ
પ્રકાશકમણિશંકર રત્નજી ભટ્ટ
પ્રકાશન તારીખ
૧૯૦૩

અવલોકન ફેરફાર કરો

ગુજરાતી કવિ અને લાઠીના રાજવી કલાપીએ ઇ.સ. ૧૮૯૨થી ૧૯૦૦ સુધી લખેલી બધી કાવ્યરચનાઓનો સંગ્રહ કલાપીનો કેકારવમાં કરવામાં આવ્યો છે. ૧૯૦૩માં તેમના મૃત્યુ પછી આ ગ્રંથને મણિશંકર રત્નજી ભટ્ટ "કાન્ત"એ પ્રકાશિત કર્યો હતો.[૧]

આવકાર ફેરફાર કરો

કેકારવની પૂર્વવાણી પુસ્તકમાં આ પુસ્તકની પ્રશંસા કરતાં કવિ ન્હાનાલાલ લખે છે, 'કલાપીનાં અંતરોદગારની ગીતાવલી, કેકારવ એટલે એ યુગની ગુજરાતી કાવ્યપ્રતિભાનાં વરસતા મેઘ. કલાપી એટલે ઘૂઘવતો દરિયો.'[૨] ઈન્દ્રવદન દવે કલાપીનો કેકારવની સંવર્ધિત આવૃત્તિની પ્રસ્તાવનામાં જણાવે છે કે 'રસનિરૂપણની શક્તિ, પ્રકૃતિવર્ણનની ચિત્રાત્મક કળા અને વસ્તુઆલેખનની આ છટાના લીધે કલાપીનાં ખંડકાવ્યો કાન્તથી બીજે નંબરે આવી શકે તેમ છે.'[૩]

ગુજરાતી વિવેચક અને સંપાદક નવલરામ ત્રિવેદીના મતે આ પુસ્તક મોડું પ્રકાશિત થયું હતું કારણકે જેઓ કલાપીને જાણતા હતા તેઓ તેમના નજીકના લોકોનાં મૃત્યુ પામવાની રાહ જોઈ રહ્યા હતા.[૪]

સંદર્ભો ફેરફાર કરો

  1. Gujarat (India) (1969). Gujarat State Gazetteers: Bhavnagar (અંગ્રેજીમાં). Directorate of Government Print., Stationery and Publications, Gujarat State.
  2. કવિ, ન્હાનાલાલ. કેકારવની પૂર્વવાણી. પૃષ્ઠ ૯-૧૦.
  3. ગોહિલ, સુરસિંહજી તખ્તસિંહજી (૨૦૦૪). કલાપીનો કેકારવ. ગુજરાતી સાહિત્ય અકાદમી, અમદાવાદ. પૃષ્ઠ ૩૬.
  4. ત્રિવેદી, નવલરામ. કલાપી- આંતરજીવનનું રેખાદર્શન. પૃષ્ઠ ૮૦.

બાહ્ય કડીઓ ફેરફાર કરો