ગર્જિયાદેવી મંદિર (ઉત્તરાખંડ)

ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં આવેલ એક પ્રસિદ્ધ મંદિર

ગર્જિયાદેવી મંદિર ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા પહાડી રાજ્ય ઉત્તરાખંડમાં સ્થિત એક પ્રસિદ્ધ મંદિર છે. આ મંદિર નૈનિતાલ જિલ્લામાં આવેલા સુંદરખાલ ગામમાં આવેલું છે. રામનગર શહેર કે જે જિમ કોર્બેટ નેશનલ પાર્કનું મુખ્ય મથક પણ છે, ત્યાંથી આ મંદિર લગભગ ૧૫ કિમી જેટલા અંતરે આવેલું છે. આ મંદિર એક નાના-સરખા પહાડ જેવા વિશાળ કદના પથ્થરની ટોચ પર બનાવવામાં આવેલું છે. કોસી નદી આ મંદિરની નજીકમાંથી પસાર થાય છે.

ગર્જિયાદેવી મંદિર


અહીં કારતક સુદ પૂર્ણિમાના દિવસે દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જામે છે.

બાહ્ય કડીઓ ફેરફાર કરો