ટૉલ્સ્ટૉય ફાર્મમહાત્મા ગાંધી દ્વારા સ્થપાયેલ પ્રથમ આશ્રમ હતો. આ આશ્રમની સ્થાપના ૧૯૧૦માં તેમના દક્ષિણ આફ્રિકાની ચળવળ દરમિયાન કરવામાં આવી હતી. આ આશ્રમ ટ્રાન્સવાલમાં આવેલો હતો. આ આશ્રમ ભારતીયો સામેના ભેદભાવ (રંગભેદ) સામેના સત્યાગ્રહની ચળવળના મુખ્ય મથક બન્યો હતો.[૧] આશ્રમનું નામ રશિયન લેખક અને તત્ત્વજ્ઞાની લિયૉ ટૉલ્સટૉયના નામ પર રાખવામાં આવ્યું હતું, જેમના ૧૮૯૪ના પુસ્તક, કિંગડમ ઑફ ગોડ ઇઝ વિધીન યુ, એ ગાંધીજીના અહિંસાના વિજ્ઞાનને ખૂબ પ્રભાવિત કરી હતી.

ઈ.સ. ૧૯૧૦ માં ટૉલ્સટૉય ફાર્મના કેટલાક સભ્યો, ગાંધીજી મધ્યમાં. (બીજી પંક્તિ જમણી બાજુથી)

જ્યાં સુધી સ્થાનિક સત્યાગ્રહ આંદોલન ચલુ રહ્યો ત્યાં સુધી આ સ્થળના માલિક હર્મન ક્લેનબેચે ગાંધીજી અને તેમના સિત્તેર થી એંસી સમર્થકોને અહીં રહેવાની મંજૂરી આપી હતી. કાલેનબેચે સમુદાયનું નામ સૂચવ્યું, અને સમુદાયે ટૂંક સમયમાં ત્રણ નવી ઇમારતો બાંધી, જેમાંને એક રહેવા માટે, એક કાર્ય શાળા અને એક શાળા તરીકે બાંધવામાં આવી.[૨][૩]

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. "Tolstoy Farm". South African Historical Journal, No. 7. November 1975.
  2. For Kallenbach and the naming of Tolstoy Farm, see Vashi, Ashish (31 March 2011) "For Gandhi, Kallenbach was a Friend and Guide", The Times of India. Retrieved 1 January 2019.
    For Johannesburg, see "Gandhi – A Medium for Truth" (link to article in Philosophy Now magazine) સંગ્રહિત ૨૪ માર્ચ ૨૦૧૪ ના રોજ વેબેક મશિન. Retrieved March 2014.
  3. Corder, Catherine; Plaut, Martin (2014). "Gandhi's Decisive South African 1913 Campaign: A Personal Perspective from the Letters of Betty Molteno". South African Historical Journal. 66 (1): 22–54. doi:10.1080/02582473.2013.862565.